SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન ] જગભાવને ત્યાગી ઈશ્વરભાવનું ગ્રહણ કર; ઈશથી અન્યભાવની ઇચ્છા ન રાખ. [ ૧૩ જીર્ણોદ્ધાર કર; રાષ્ટ્રીય પ્રવૃત્તિ, રાજકીય વા સામાજિક કાર્યો કરવાં ઇત્યાદિ પ્રકારનાં કર્મોને ધ્યેય સમજી તેને જ શ્રેષ્ઠ માની લે છે. પરંતુ વાસ્તવિક રીતે એ કર્મો પણ જે શુદ્ધ ભાવનાથી થાય તો તે સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ કરાવી આપે છે. આત્મોન્નતિરૂ૫ યેયની પ્રાપ્તિ કરાવી આપનાર કલ્યાણને સાચો માર્ગ તે આ કરતાં કઈક જુદો જ છે, એમ તેઓ સ્વને પણ જાણી શક્તા નથી. આવા લેકે પોતાનાં કરેલાં સકામ સત્કર્મોનાં કળા વર્ગાદિ લોકમાં ભોગવ્યા પછી ફરી પાછા આ લેકમાં અથવા તો એ કરતાં પણ હીન લેકમાં પડે છે. અને ત્યાં અત્યંત દુઃખ ભોગવે છે. કેમ કે એ બધાં કર્મો તો ત્રિગુણના વિસ્તારરૂપ છે, અને આત્મા તો ત્રિગણથી પર છે. જેથી શ્રીકૃષ્ણ ભગવાને પણ ગીતામાં અર્જુનને વેદના ત્રિગુણના વિસ્તારવાળા ભાગને છેડી દઈ નિગુણ્ય થવાને જણાવ્યું છે (ભગ ગીતા અને ૨). તસ્માત કર્મવાસનાનો ચેકડીમાં બેસનારું અનુષ્ઠાનવ્યસન પણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપવા અસમર્થ હોવાથી ત્યાજ્ય છે. અત્યાર સુધીના વિવેચન ઉપરથી આપણે લોકવાસના અને શામવાસના એમ બંને પ્રકારની વાસનાઓની નિરુપગિતા સંબંધે જાણ્યું. હવે દેહવાસના સંબંધમાં વિચાર કરીશું. કિરણાંશ ૫ રહવાસના, તેના ત્રણ ભેટ તથા આત્મશ્રાંતિ રહવાસના દેહવાસના (૧) આત્મત્વશાંતિ, (૨) ગુણાધાનશ્રાંતિ, (૩) દેવાપનયનભ્રાંતિ, એ રીતે ત્રણ ભેદવાળી છે. (૧)આત્મત્વભ્રાંતિ: હાડકાં, માંસ, મજજા, વચા, સ્નાયુ, વિર્ય અને રેત (રક્ત) ઇત્યાદિ સાત ધાતુયુક્ત અને પંચમહાભૂતાત્મક એવો આ દેહ એટલે જ હું છું, એમ માનવું એ આત્મતાબ્રાંતિ કહેવાય છે. સામાન્યતઃ મૂઢ અને અવિચારી તથા ચાર્વાકાદિ નાસ્તિક મતને અંગીકાર કરનારા લોકાયતિકો એમ માને છે કે આ હલનચલનાદિ ક્રિયાવાળે જે સ્થૂલ દેહ છે તે જ આત્મા છે, દરેક શાસ્ત્રકારો, કંકશેષ કરીને પોકારી , પોકારીને કહી રહ્યા છે કે આત્માની પ્રાપ્તિ કરો તેનો અર્થ અવિચારી એવા આ મૂઢો તે દેહ એટલે જ આત્મા છે, એમ ગણી તેને કઈ પણ પ્રકારે સુખી કરવો એમ સમજે છે. આથી દેહને યા તેના અંશ પ્રત્યેશને નાશ થાય એટલે જાણે આત્માને પોતાને) જ વિનાશ થયે એવી તેઓની દઢ માન્યતા હોય છે; પરંતુ આ માન્યતાવાળા મૂઢ મનુષ્ય જેમ ભંગી પાયખાનાને પિતાનું માની લે છે તેમ આ વિછારૂપ દેહને જ પોતાને માની તે ઉપર મિયા અહંભાવ રાખે છે. ભંગી તે પાયખાનાને પિતાનું સમજે છે પણ તેમાંની વિકાને કાંઈ પિતાની સમજ નથી, પરંતુ આ ગર્વિષ્ઠ, વિષયાંધ અને અવિવેકી એવા મહે દેહને પિતાને માને છે એટલું જ નહિ પરંતુ દેહની અંદરના મળમૂત્રાદિસહ તમામને એ પિતાનું જ સ્વરૂપ છે, એમ સમજે છે. જુઓ આ કેવી મૂર્ખતા છે! લોકાયતિકે શાસ્ત્રના અનર્થો કરે છે આ આરિતાર એવા મૂઢ લોકાયતિ શાસ્ત્રોના અનાર્યો કરે છે અને આ પુરુષ અનરસમય છે.” અહીંથી આરંભીને “તેથી તેને અનરૂપ કહેવામાં આવે છે. એ રીતના અતિમાં આવેલાં કથનને આધાર બતાવી સામાન્ય લોકોની દેહાધ્યાસરૂ૫ માન્યતાને જ દઢ કરે છે (જુઓ તૈત ઉ૫૦ ભૂગવલી, અનુવાક ૧, ખંડ ૭ થી ૧૦). જુઓ કે પ્રજાપતિએ ઇન્દ્ર અને વિરેચન એ બન્નેને એક સાથે આત્મતત્વને ઉપદેશ આપે હતે છતાં ચિત્તના દોષને લીધે વિરોચને અવિવેક વડે શાસ્ત્રનો અનર્થ કરી દેહમાં જ આત્મત્વની બુદ્ધિ દ4 કરી તથા સર્વ અસુરોને પણ દેહ એટલે જ આત્મા એવો બોધ આપ્યો, અને વિવેકી ઈ આત્મતત્વની પ્રાપ્તિ કરી લીધી તથા દેવતાઓને તેવો બેધ આપે (જુઓ છાંદે ઉ૫૦ પ્રપાછ૮ ખંડ ૭). સારાંશ - દેહને જ આત્મા માની લેવો એ આત્મત્વભાંતિ હેઈ તે અતિમલિન છે. I "
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy