SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સાધનાનું સુફળ પણ વ્યક્તિને ત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે તે ધર્મનું આચરણ કરે, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તેનો વિનિયોગ કરે. ધર્મનું સભ્યપ્રકારથી આચરણ કરવું એ જ સમ્યક્યારિત્ર્ય છે. આ જ કારણે ધર્મના વ્યક્તરૂપની અપેક્ષાથી ચારિત્ર્યને વાસ્તવિક ધર્મ કહ્યો છે. સમ્યક્યારિત્ર્યને અપનાવવાથી જ સાધનાનો પ્રારંભ છે, કેમ કે શાસ્ત્રીય સિદ્ધાંતની દૃષ્ટિએ કેવળ સમ્યગદર્શનીનું જ ચોથું ગુણસ્થાન છે, પરંતુ સમ્યગુદર્શનની સાથે ચારિત્ર્યનો પ્રારંભ પંચમ ગુણસ્થાનથી થાય છે. ભલે પંચમ ગુણસ્થાનમાં ચારિત્રાચારિત્ર હોય એટલે કે ચારિત્ર્યનું ધૂળરૂપ - દેશ ચારિત્ર્ય હોય. આનો નિષ્કર્ષ એ છે કે સમ્યક્દર્શન અને સમ્યગુજ્ઞાનના ધારક કરતાં સમ્યગુચારિત્રીનું ગુણસ્થાન ઊંચું છે એટલે સાધનાની દૃષ્ટિએ પણ ચારિત્ર્ય અપનાવવું જરૂરી છે. સાધના કર્યા વિના કોઈ પણ વ્યક્તિ ઉચ્ચ ગુણસ્થાન પર ચઢી નથી શકતી. જેટલા પણ વીતરાગ કે કેવલજ્ઞાની પુરુષો થયા છે, તેઓ સમક્યારિત્ર્યને અપનાવીને સાધના કર્યા પછી જ થયા છે. કોઈ સવાલ કરે કે ભરત ચક્રવર્તીએ કાચના મહેલમાં ઊભા ઊભા કોઈ સાધના કર્યા વિના કેવી રીતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ? મરૂદેવી માતાએ સાધના કર્યા વગર જ હાથી પર બેઠાં બેઠાં જ કેવી રીતે કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કર્યો? આના ઉત્તરમાં એટલું જ કહેવાનું કે આવાં ઉદાહરણ તો અપવાદરૂપ છે. આવાં અપવાદરૂપ ઉદાહરણોને સર્વસામાન્ય રાજમાર્ગ બનાવી શકાય નહીં. આ બંને ઉદાહરણોમાં ભલે વ્યવહારચારિત્રના બાહ્ય અંગોનો સ્વીકાર ન હોય, પરંતુ સ્વરૂપરમણરૂપ નિશ્ચયચારિત્ર્ય તો બંનેમાં અનિવાર્યરૂપે છે જ અને ભરત ચક્રવર્તીએ તો શ્રાવના દ્વાદશત્રતરૂપ દેશચારિત્ર્યનો સ્વીકાર કરેલો જ હતો. આ કારણે સર્વસામાન્ય નિયમ તરીકે સ્પષ્ટપણે એમ કહી શકાય કે વીતરાગતા કે કેવળજ્ઞાન-કેવળદર્શનની પ્રાપ્તિ માટે પહેલાં સમ્યક્યારિત્ર્યને સ્વીકારવું જરૂરી છે. સમ્યગુદર્શન કે સમ્યગૃજ્ઞાનમાં સાધના છુપાયેલી અને દબાયેલી રહે છે, તે લોકવિશ્વસ્ત નથી હોતી, જ્યારે સમક્યારિ અપનાવવાથી સાધના અભિવ્યક્તિ અને લોકવિશ્વસ્ત થાય આચરણ વિનાનું જ્ઞાન શૂન્ય સમ્મચારિત્ર્ય વિના એકલું જ્ઞાન વિંધ્ય છે. એ કશું કરી શક્ત ચારિત્ર્ય એ જ ધર્મ ૧૯૧
SR No.032349
Book TitleRatnatrayina Ajwala
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherAnukampa Trust Prakashan
Publication Year1997
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy