SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસ જ્ઞ હેમચંદ્રાચાયે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી પ્રગટ થયાં અને એમણે પૂછ્યું, “શી આજ્ઞા છે?” શ્રી હેમચંદ્રાચાર્ય કહ્યું, “દેવી! સીમંધરસ્વામી પાસેથી પૂછી આવા કે કુમારપાળની મુક્તિ કેટલા ભવ બાદ થશે ?” દેવી જતી હતી ત્યાં કુમારપાળે કહ્યુ, “ગુરુદેવની મુક્તિ વિશે પૂછવાનું પણ ભૂલશે। નહિ.” શાસનદેવીએ વિદાય લેતાં કહ્યું, “તમે ધ્યાન લગાવીને બેસા, જેથી કોઈ દેવતા મારા ગમનમાં વિઘ્ન નાખી શકે નહી....” દેવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને પાછા આવવામાં શી વાર લાગે ? વળી કેવલીને શ ંકાનુ' સમાધાન કરતાં કોઈ વિલ`ખ થાય ખરો ? શાસનદેવી પ્રશ્નના ઉત્તર લઈને તરત જ પાછાં ફર્યાં, પણ આચાય ને જોતાં ઉદાસ થઈ ગયાં. દેવી મેલ્યાં, હું મહાન આચાય ! તમે ઘણી મેાટી ભૂલ કરી.” આચાર્યે પૂછ્યું, “મેં વળી શી ભૂલ કરી છે ?” શાસનદેવીએ કહ્યું, “પહેલાં આપ પલાશ વૃક્ષ નીચે બેટા હતા, ત્યાંથી ઊઠીને આ આંમલીના ઝાડ નીચે કચાંથી આવી ગયા ?” આચાર્યે કહ્યું, ત્યાં ગરમી ઘણી વધી ગઈ હતી.” શાસનદેવી ખેલ્યાં, “આ જ તેા દુઃખની વાત છે ને ?” હેમચ’દ્રાચાયે કહ્યુ, “દેવી ! એમાં દુઃખની શી વાત ? તમારી વાત હું સમજી શકતા નથી, પણ પહેલાં એ કહેા કે તમારુ મુખ કેમ નિરાશાથી ઘેરાયેલુ‘છે ?’ શાસનદેવીએ રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, ‘કુમારપાળને માટે તા સીમંધરસ્વામીએ ફરમાવ્યું છે કે એ ત્રીજા જન્મમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આને અએ કે અહીં મૃત્યુ પામીને દેવ બનશે અને દેવગતિથી ચ્યવન કરી આગામી ચાવીસીમાં પદ્મનાભ તીથંકર(શ્રેણિક મહારાજના જીવ)ના પ્રથમ ગણધરના રૂપમાં જન્મ લેશે. જ્યારે આપને માટે એમ કહ્યું હતું કે હું પાછી ફરું અને આપ જે વૃક્ષ નીચે 201 સ્વપર કયાનું સાધન ઃ સ્વાધ્યાય
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy