SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ બેઠા હશે. એ વૃક્ષનાં જેટલાં પાંદડાં હશે એટલા ભવ ખાદ મુક્ત થશે.. પલાશ વૃક્ષનાં પાંદડાં તે ગણી શકાય તેમ હતાં, જ્યારે આંબલીનાં પાંદડાં તે અગણિત છે, જો પલાશ વૃક્ષ નીચે બેસી રહ્યા હાત તે તમારે વહેલા છૂટકારા (મેાક્ષ) થાત. હવે તમારે અગણિત ભવામાં ભ્રમણ કરવુ. પડશે.” આ સાંભળીને હેમચ`દ્રાચાય - ખૂબ પ્રસન્ન થયા. એમણે કહ્યું, “આમાં ચિંતા કરવાની કઈ વાત છે? હવે મને એટલી તે નિશ્ચિત ખાતરી થઈ ગઈ કે મારા ભવ-ભ્રમણના અંત તે અવશ્ય આવશે જ. આ તે। મારું ધન્ય-ભાગ્ય કહેવાય. હવે ભલે લાખા-કરડા. ભવ લેવા પડે, પણ અંતમાં એની સમાપ્તિ તે છે જ. મને તમારી વાત જાણીને ખૂબ પ્રસન્નતા થઈ.’ આ છે પૃચ્છનાનુ` પ્રત્યક્ષ લાભદાયી પરિણામ. મહત્ત્વનું પાસુ પૃચ્છનાનું એક મહત્ત્વનું પાસું એ છે કે પ્રશ્નકર્તા જિજ્ઞાસાથી એકના એક પ્રશ્ન વારવાર કરે અથવા તેા અનેક પ્રશ્નો વારવાર જિજ્ઞાસુ ખનીને પૂછે તેા પણ ઉત્તરદાતાએ એનાથી ગભરાવવાનું નથી.. ઉડાઉ જવાષ આપીને જિજ્ઞાસુ પ્રશ્નકર્તાને નિરુત્સાહ કરવો જોઈ એ નહિ. એના પ્રશ્નના ઉત્તર ધૈ પૂર્ણાંક ત્યાં સુધી સમજાવવા જોઈ એ જ્યાં સુધી એના મનનું સમાધાન થાય નહી. જગદ્ગુરુ આદ્ય શંકરાચાય ને પૂછવામાં આવ્યુ, “આપ આપની વાત કોઈ ને એક વાર સમજાવા તાપણ તે ન સમજે તેા શું કરશેા ?” આદ્ય શંકરાચાયે કહ્યું, “હું એને બીજી વાર સમજાવીશ. એ બીજી વાર સમજે નહિં તેા ત્રીજી વાર સમજાવીશ. જ્યાં સુધી સમજશે. નહિ ત્યાં સુધી સમજાવતા જ રહીશ. જિજ્ઞાસુને અંતિમ ક્ષણ સુધી સમજાવવું તે મારું કામ છે.” જ્ઞાનશક્તિ પર આટલા દૃઢ વિશ્વાસ જ જ્ઞાનીઓને 'માટે મુક્તિ પ્રાપ્ત કરવાનું કારણ બને છે. જ્યાં આવું હાતું નથી ત્યાં માહવશ અનીને સ`ચિત જ્ઞાન જ કર્મ બંધનનું કારણ બને છે. 202 એજસ દીઠાં આત્મબળનાં
SR No.032341
Book TitleOjas Ditha Aatmbalna
Original Sutra AuthorN/A
AuthorVijayvallabhsuri, Kumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1992
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy