________________
चत्वारि समवसरणानि परदर्शनावताराणि कथितानि यथा-क्रियावादी, अक्रियावादी, विनयवादी, अज्ञानवादी चेति । तथा तेनैव मुनिना स्वस्य प्राग्भवादिचरित्रं पूर्वपुरुषाणां भरतादीनां वीतभयेशउदायनपर्यन्तानां च चरित्राणि कथितानि । यथा एते सर्वे चत्वारि समवसरणानि ज्ञात्वा तानि च प्रतिषिध्य प्रव्रज्य सिद्धा इति तच्छ्रुत्वा स संजयः
स्थिरमना दीक्षां प्रपाल्य सिद्धिं गतः ॥१५॥ ગાથાર્થ : કાંપિલ્યપુરનગરમાં સંજય નામે રાજા હતો. એક વખત તે
નગર બહાર ગયો, ત્યાં કેસર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનમાં મગ્ન એવા સાધુમહાત્માની પાસે રહેલા ત્રસ્ત હરણને તેણે વિંધી નાખ્યું. પછી રાજાએ ત્યાં આવી મરેલા મૃગને અને પાસે રહેલા મુનિને જોઈ વિચાર્યું કે અહો ! મારા વડે આ મુનિ પણ કંઈક અંશે હણાયા છે. તેથી અશ્વપરથી ઉતરી મુનિને વંદન કરવા લાગ્યો. મુનિ કાંઈ ન બોલતાં “શાપ આપશે એવા ભયથી તેણે મુનિવરને કહ્યું કે – “હું સંજય નામે રાજા છું. મેં આ અપરાધ કર્યો છે, મને ક્ષમા આપો અને અભયદાન આપો.” તેથી મુનિરાજ બોલ્યા કે, તને અભય છે, પરંતુ તે સર્વ જીવોને અભયદાન આપ. ત્યાર પછી તેણે મુનિ પાસેથી ધર્મશ્રવણકરી રાજ્યનો ત્યાગ કરી ગર્દભાલિ નામના ગુરુ પાસે દીક્ષા લીધી. આ બાજુ બ્રહ્મલોક નામના પાંચમાદેવલોકના મહાપ્રાણત નામના વિમાનમાંથી
વીને (કોઈક આત્મા) ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયા. તેઓ જાતિનું સ્મરણ કરીને (જાતિસ્મરણ જ્ઞાન વડે) દીક્ષાગ્રહણ કરી વિહાર કરતા તે ક્ષત્રિયમુનિએ સંજય રાજર્ષિ સમક્ષ ચાર સમવસરણ-પરદર્શનાવતાર રૂપ મતોનું નિરૂપણ કર્યું, તવપ્રવરી
૫૭e