SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ હેત્વાભાસી ધર્મને એ જાણી શક્તો નથી. માટે એ ધર્મ આગળ થઈ શકતો નથી.) માટે નક્કી થાય છે કે સામે રહેલી ચીજનું જો ‘ઘટા' તરીકે જ્ઞાન થાય છે, તો તેમાં રહેલ ઘટત્વ જ્ઞાતાને જણાઈ જ ગયો છે. હવે એ વિચારીએ કે એ શેનાથી જણાયો ? અહીં અનુમિતિ વગેરે તો કોઈ થતી જ નથી. માટે નક્કી થાય છે કે એ પ્રત્યક્ષથી જણાયો છે. વળી એ વખતે પ્રત્યક્ષ તો આંખથી જ થઈ રહ્યું છે, માટે નિશ્ચિત થાય છે કે, ઘડો જો આંખથી પ્રત્યક્ષ છે તો ઘડામાં રહેલી ઘટત્વ જાતિ પણ આંખથી જ પ્રત્યક્ષ છે. એ જ રીતે શબ્દ જો શ્રાવણ છે તો શબ્દ– પણ શ્રાવણ છે એ માનવું જોઈએ. તેથી શબ્દત્વમાં શ્રાવણત્વ છે. અને એમાં નિત્યત્વ તો છે જ. તેથી, જ્યાં જ્યાં શ્રાવણત્વ ત્યાં ત્યાં નિત્યત્વ, જેમ કે શત્વમાં... આ વ્યાપ્તિ સિદ્ધ થાય છે. તેથી નિત્યત્વવ્યાણશ્રાવUત્વવાન શબ્દઃ એવો પરામર્શ થવા દ્વારા શબ્દમાં ‘નિત્યત્વ’ સાધ્યની સિદ્ધિ થાય છે. આ અનુમિતિમાં વ્યભિચાર કે વિરુદ્ધ દોષ નથી. બાધ છે કે નહિ એ શક્તિ છે. તેથી નિયત્વનું અનુમાન કરવા શ્રાવણત્વ હેતુ ઊભો થયો છે. તેથી હવે આ સાધ્યની સિદ્ધિ અટકાવવા માટે સાધ્યાભાવ=નિત્યત્વાભાવ (અનિયત્વ) સિદ્ધ કરી આપે એવો બીજો હેતુ લાવવો પડે. એ હેતુ છે કૃતકત્વ' (પેદા કરાયેલાપણું). માટે અનુમાન : . . शब्दः अनित्यः (नित्यत्वाभाववान्), कृतकत्वात् घटवद्, यत्र यत्र कृतकत्वं तत्र तत्र अनित्यत्वं, यथा घटे यत्र यत्र अनित्यत्वाभावस्तत्र तत्र कृतकत्वाभावः, यथाऽऽकाशे આ વ્યાપ્તિથી આવો પરામર્શ થશે કે નિત્યત્વવ્યાપ્યતઋત્વવાનું શક્યૂઃ તેથી, શબ્દઃ નિત્ય ... આમ શ્રાવણત્વ હેતુ સત્પતિપક્ષિત બન્યો. મીમાંસક શબ્દને નિત્ય માને છે, શબ્દની ઉત્પત્તિ માનતો નથી. પ્રશ્ન :- ઉચ્ચારણથી શબ્દ ઉત્પન્ન થતો દેખાય છે ને ? ઉત્તરઃ- ઉચ્ચારણથી તો શબ્દનોસ્ફોટ થાય છે. અર્થાત્ નિત્યશબ્દતો આકાશમાં હતો જ, પરંતુ તે અસ્ફટ(અશ્રાવ્ય) હતો, અપ્રગટ હતો. ઉચ્ચારણ એનો સ્ફોટ કરી આપે છે. જો કે આની સામે એક વાર ઘટ બોલવાથી એક વાર સ્ફોટ થયો. તેમ “ઘટ’ ‘ઘટ'... બોલ્યા કરીએ તો કેટલી વાર ફોટ થયા કરે? વગેરે દોષો લાગે છે. માટે આ માન્યતા યોગ્ય નથી. ઉપરાંત કૃતત્વ હેતુથી તો અનિત્યત્વ સિદ્ધ થાય જ છે. (૪) બાયદોષઃ પ્રત્યક્ષ(ગામ)સિદ્ધસાપ્યામાવવFક્ષ વાંધઃ પક્ષ સાધ્યાભાવવાળો છે એવી વાત જે અનુમાન અંગે પ્રત્યક્ષસિદ્ધ હોય કે આગમસિદ્ધ હોય) એવા અનુમાનના હેતુમાં બાધ દોષ હોય છે. એટલે કે હેતુ જે સાધ્યને સિદ્ધ કરવા વપરાયો હોય તેનો અભાવ પક્ષમાં રહ્યો છે એવું, અનુમાન પ્રયોગ પૂર્વે જ પ્રત્યક્ષથી કે આગમથી ખબર પડી ગઈ હોય તો અનુમાન આપવા છતાં સાધ્યસિદ્ધિ થઈ શકતી નથી. તેથી એ અનુમિતિમાં બાધ દોષ આવે છે. આ દોષવાળા હેતુને બાધિત કહેવાય છે. यद्हेतुकानुमितिके पक्षे साध्यः प्रत्यक्षबाधितः भवेत् तद्धेतुः बाधितः कथ्यते । सिद्धसाध्याभाववत्पक्षको हेतुः बाधितः એટલે કે જે હેતુવાળી અનુમિતિના પક્ષમાં સાધ્યનો અભાવ પ્રત્યક્ષસિદ્ધ હોય તે હેતુ બાધિત કહેવાય છે. આને કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે. દા.ત. વઢિઃ મનુ દ્રવ્યત્વતિ, ગત્તવનું આમ તો અહીં વદ્ધિ પક્ષમાં અનુષ્ણત્વ સાધ્ય બાધિત છે, દ્રવ્યત્વ હેતુ બાધિત નથી. તેમ છતાં હેતુ બાધિત કહેવાય
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy