SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 39 ન્યાયભૂમિકા છે, કેમ કે અનુમાનનો આધાર મુખ્યતયા હેતુ (વ્યતિજ્ઞાન) પર છે. (પ્રત્યક્ષનો ઇન્દ્રિય પર અને શાબ્દબોધનો શબ્દ પર છે.) એટલે કે, - “અલા!દ્રવ્યત્વ! તું કેટલો પામર, કે જેમાં (વહ્નિમાં) ઉષ્ણત્વ એપ્રત્યક્ષસિદ્ધ છે તેમાં તું ઉષ્ણત્વનો અભાવ (અનુષ્ણત્વ) સિદ્ધ કરવા નીકળી પડ્યો છે !!!” આમ કહીને દોષ હેતુને વળગી પડે છે. (૫) અસિદ્ધિ દોષઃ અનુમિતિનો કો'ક ઘટક અસિદ્ધ હોવો તે. આ દોષવાળા હેતુને અસિદ્ધ કહેવાય છે. આના મુખ્ય ૩ ભેદ છે. (અ) સ્વરૂપાસિદ્ધિ પક્ષમાં હેતુ અસિદ્ધ હોવો તે. દા. ત. નતો દ્રવ્ય, ધૂમત हेतोः हेत्वभाववत्पक्षकत्वं स्वरूपासिद्धिः । આ દોષવાળો હેતુ સ્વરૂપાસિદ્ધ કહેવાય છે. हेत्वभाववत्पक्षको हेतुः स्वरूपासिद्धः (બ) પક્ષાદ્ધિઃ આના ૩ પેટા ભેદ છે. (૧) પલાઉદ્ધિઃ દેતોઃ ગપ્રસિદ્ધપક્ષવતં પક્ષાદ્ધિ, પ્રસિદ્ધપક્ષો હેતુઃ પક્ષાસિદ્ધઃ, જે અનુમિતિનો પક્ષ દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે અનુમિતિમાં આ દોષ લાગુ પડે છે. દા. ત. ખ્યનમયપર્વતો વદ્વિમાન, ધૂમત (૨) સાધ્યાસિદ્ધિઃ દેતોઃ અપ્રતિસવં સાધ્યસિદ્ધિ, મસિદ્ધસાધ્યો હેતુઃસાધ્યાસિદ્ધઃ જે હેતુનો સાધ્ય દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે હેતુ સાધ્યાસિદ્ધ કહેવાય છે. દા. ત. પર્વતો રનમયાન, ધૂમાત્ (૩) હેત્વસિદ્ધિઃ દેતોઃ ગપ્રસિદ્ધતં દેવંદ્ધિ, પ્રસિદ્ધ છેતું હેત્વસિદ્ધ. જે હેતુ પોતે દુનિયામાં અપ્રસિદ્ધ હોય તે. દા. ત. પર્વતો વહિમાનું વાચનમયધૂમાત્ | (ક) વ્યાપ્યત્વાસિદ્ધિઃ દેતોઃ ચર્થવિશેષાટિતત્વ વ્યાખ્યત્વસિદ્ધિ વ્યર્થવિશેષાટિતો દેતુઃ વ્યાખ્યત્વસિદ્ધ હેતુનું વ્યર્થ વિશેષણ વપરાયું હોય તેવો હેતુ. દા. ત. પર્વતો વહિમાન, શ્યામધૂમાન્ ! જે વિશેષણ ન લગાડવામાં આવે તો વ્યભિચારદોષ આવે તે વિશેષણ સાર્થક હોય છે, શેષ વિશેષણો વ્યર્થ હોય છે. એ વિશેષણ ન વપરાયું હોય તો પણ માત્ર વિશેષ્યરૂપ હેતુ સાધ્યને વ્યાપ્ય હોય જ છે. હેતુ વ્યાપ્ય=વ્યાસિમા તરીકે ઇષ્ટ છે, એ તો વગર વિશેષણે પણ તેવો છે જ. માટે વિશેષણ વ્યર્થ છે, વિદ્વાનોની સભામાં એક શબ્દ પણ વધારે ન બોલાય. ધૂમાથી જે કાર્ય થઈ જાય છે તે જ કાર્ય માટે “શ્યામધૂમ’ બોલવામાં આવે તો “શ્યામ' શબ્દ વ્યર્થ છે. તેથી ત્યાં દોષ લાગે. વળી શ્યામધૂમત્વ એ ધૂમત્વ કરતાં ગુરુભૂત ધર્મ છે. માટે એ અવચ્છેદક બની શકતો નથી. (ગુરુભૂત ધર્મ અવચ્છેદક બનતો નથી, જેમ કે ઘડો કંબુગ્રીવાદિમાનું છે તેથી એમાં ઘટત્વની જેમ કંબુગ્રીવાદિમત્ત્વ પણ છે જ. તેમ છતાં, ઘડામાં આવેલા નવા ધર્મનો ઘટત્વ જ અવચ્છેદક બને છે, કંબુગ્રીવાદિમત્ત્વ નહિ.) તેથી શ્યામધૂમ હેતુ વ્યાપ્ય તરીકે જ અસિદ્ધ રહેવાથી એ અનુમિતિ શી રીતે કરાવી શકે? માટે એ અસહેતુ છે. આ હેત્વાભાસોમાં નોંધનીય બાબતો : (૧) વ્યભિચારી હેતુમાં વ્યભિચારના કારણે વ્યાપ્તિ અસિદ્ધ છે, તેથી અનુમિતિ થતી નથી. વ્યાપ્યત્વાસિદ્ધ હેતુમાં વ્યર્થ વિશેષણના કારણે તેવું છે. (૨) બાધ દોષમાં પક્ષમાં સાધ્યના અભાવનો નિર્ણય પહેલાથી જ પ્રત્યક્ષથી થઈ ગયો હોય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy