SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 94 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી અન્યોન્યામાવત્વમ્ એમ અભાવનો સમાવેશ છે. (૩) માવોનમાવઃ' એવા વાક્યથી શાબ્દબોધઅસંગત થઈ જશે. કારણકે કમાવો એટલે પણ ભાવભેદવાર્ અને ન ભાવઃ એટલે પણ ભાવભેદવાર્. તેથી “ભાવમેવાનું મામેરવાન” આવું વાક્ય થઈ જવાથી (અર્થાત્ ભાવભેદવાને ઉદ્દેશીને ભાવભેદનું વિધાન થતું હોવાથી) એમાં ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય એ બન્ને ‘ભાવભેદ' રૂપ એક જ બની જાય છે. તેથી અભાવત્વને અખંડોપાધિરૂપ માનવું જોઈએ. શંકા જાતિ અને અખંડોપાધિનું નિર્વચન હોતું નથી. કારણ કે બન્ને અનુગતપ્રતીતિથી પ્રતીત થતા હોય છે. (માત્ર જેને જાતિ માનવામાં કોઈ બાધક આવતો હોય એને અખંડોપાધિ મનાય છે.) પ્રસ્તુતમાં, જેમ પટ: પટે: એવો આબાળગોપાળ વ્યવહાર થાય છે. એમ અભાવ અંગે અમાવઃ કમાવઃ એવો આબાળગોપાળ પ્રસિદ્ધ વ્યવહાર છે નહીં. તેથી અભાવત્વને અખંડોપાધિરૂપ માનવામાં કોઈ પ્રમાણ નથી. સમાધાનઃ તો પછી એ અનુયોગિતાવિશેષરૂપ છે એ પ્રમાણે કેટલાક કહે છે. આશય એ છે કે પટમાવમાં ઘટ એ પ્રતિયોગી છે તો અભાવ અનુયોગી છે. તેથી અભાવમાં જે અનુયોગિતા આવે છે એ જ અભાવત્વ છે. જો કે અનુયોગિતા અનેક પ્રકારની હોય છે. એમાંથી આ ચોક્કસ પ્રકારની અનુયોગિતા જ લેવાની હોવાથી અનુયોગિતાવિશેષ કહેવાય છે. (ા.) પ્રામવિતથા áરોડવ્યત્યન્તભાવ વ ર | ૨૨ છે. एवं त्रैविध्यमापन्नः संसर्गाभाव इष्यते । (मु.) अन्योन्याभावस्यैकविधत्वात् तद्विभागाभावात् संसर्गाभावं विभजते-प्रागभाव इति। संसर्गाभावत्वमन्योन्याभावभिन्नाभावत्वम्। अन्योन्याभावत्वं तादात्म्यसम्बन्धावच्छिन्नप्रतियोगिताकाभावत्वम्। विनाश्यभावत्वं प्रागभावत्वम्। जन्याभावत्वं ध्वंसत्वम्। नित्यसंसर्गाभावत्वमत्यन्ताभावत्वम् । (કા.) સંસર્ગાભાવ પ્રાગભાવ, દવંસ અને અત્યન્તાભાવ એમ ત્રિવિધતાને પામેલો મનાયો છે. (મુ.) અન્યોન્યાભાવ એક જ પ્રકારનો હોવાથી એના વિભાગ ન હોવાના કારણે સંસર્ગાભાવનું વિભાજન કરે છે. એમાં, સંસર્ગાભાવ એટલે અન્યોન્યાભાવથી ભિન્ન અભાવ. અન્યોન્યાભાવ એટલેતાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાનો નિરૂપકઅભાવ. વિનાશ પામનારો અભાવ એ પ્રાગભાવ. ઉત્પન્ન થતો અભાવ એ ધ્વસ. નિત્યસંસર્ગાભાવ એ અત્યન્તાભાવ. (વિ.) તાદાભ્યસંબંધાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ એટલે અન્યોન્યાભાવ છે. ને એનાથી ભિન્ન અભાવ એ સંસર્ગાભાવ છે. તેથી તાવાગ્યવંધાનચ્છિન્નપ્રતિયોગિતામાવત્વ સંસમાવત્વમ્ એમ લક્ષણ કરવું. પણ, તવિસ્થાતિરિરૂસંવંધાર્વચ્છિન્નપ્રતિયોગિતામવિત્વ સંસમાવતું એવું લક્ષણ ન કરવું, કારણ કે પ્રાગભાવ અને ધ્વંસની પ્રતિયોગિતા કોઈ જ સંબંધથી અવચ્છિન્ન હોતી નથી એ આપણે આગળ જોઈ ગયા છીએ. તેથી એ બેની પ્રતિયોગિતા તાદાભ્યસંબંધાનવચ્છિન્ના હોય છે, પણ તાદાભ્યાતિરિક્તસંબંધાવચ્છિન્ના હોતી નથી. એટલે એ બેમાં અવ્યાપ્તિદોષની આપત્તિ આવે. પ્રાગભાવ અનાદિ સાત્ત હોય છે. ધ્વસ સાદિ અનંત હોય છે. અત્યંતાભાવ અનાદિ-અનન્ત હોય છે. (मु.) यत्र तु भूतलादौ घटादिकमपसारितं पुनरानीतं च, तत्र घटकालस्य सम्बन्धाघटकत्वादत्यन्ताभावस्य नित्यत्वेऽपि घटकाले न घटात्यन्ताभावबुद्धिः । तत्रोत्पाद-विनाशशाली चतुर्थोऽयमभाव इति केचित् ।
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy