SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અધિકરણ-અવચ્છેદક (મુ.) જે ભૂતલ વગેરે પર ઘટાદિ દૂર કરાયા (તેથી ઘટાભાવ થવાથી ઘટામાવવત્ મૂતમ્ એવી બુદ્ધિ થઈ ને પછી) વળી પાછા લવાયા (ત્યારે) ત્યાં ઘટકાળ સંબંધનો અધટક હોવાથી, ઘટાભાવ નિત્ય હોવા છતાં (અને તેથી વિદ્યમાન હોવા છતાં) ઘટકાળે ઘટાભાવની (પટામાવવત્ ભૂતત્તમ) એવી બુદ્ધિ થતી નથી. ત્યાં ઉત્પાદ-વિનાશશાલી આ ચોથો સંસર્ગાભાવ છે એમ કેટલાક વિદ્વાનો કહે છે. 95 (વિ.) ઘડો લાવ્યા બાદ પણ ઘટાભાવ નષ્ટ થયો ન હોવા છતાં ઘટાભાવવત્તાની બુદ્ધિ થતી નથી એમાં કારણ એ છે કે એ વખતે એનો સંબંધ હોતો નથી. આ સંબંધ ઘટાભાવકાલીન ભૂતલ સ્વરૂપ છે, પણ ઘટકાલીનભૂતલ સ્વરૂપ નહીં. એટલે કે જે ભૂતલ સંબંધ બને છે એનો ઘટક ઘટાભાવકાલ છે, ઘટકાલ નહીં. મુક્તાવલીમાં આ જ વાતને ઘટાતસ્ય સમ્બન્ધાયટાત્ એમ કહીને જણાવેલ છે. (અધિકરણ - અવચ્છેદક) આ જ વાતને જરા સ્પષ્ટતાથી સમજીએ. “વાનીમત્ર ઘટઃ’ આવી બુદ્ધિમાં ફ્લાની=પ્રસ્મિન્ જાત્તે અને અત્ર=અસ્મિન્ વેશે... આ બન્ને સપ્તમી વિભક્તિના અર્થને જણાવે છે... શું આ બન્ને અધિકરણ છે ? તો કે ના, એક અધિકરણ છે ને એક અવચ્છેદક છે. દા. ત. વૃક્ષે પાછાયાં ઋષિસંયોગ આમાં વૃક્ષ અને શાખા બન્નેને સપ્તમી વિભક્તિ લાગી હોવા છતાં એક અધિકરણ છે ને એક અવચ્છેદક છે. તો બેમાંથી કોણ અધિકરણ ને કોણ અવચ્છેદક ? આ માટે એક બીજા વાક્યનો વિચાર કરીએ. વૃક્ષે સિયોગઃ આ વાતને જણાવવા માટે વધારે સ્પષ્ટતા માટે વાયાં શબ્દ બોલીએ છીએ, પણ વૃક્ષ વૃક્ષત્વમ્ આ જણાવવું હોય તો શાવાયાં બોલવાની જરૂર રહેતી નથી...આ વાસ્તવિકતાનો વિચાર કરવા પર જણાય છે કે વૃક્ષમાં વૃક્ષત્વ તો શાખા-મૂળ સર્વત્ર છે, એટલે શાવાયાં બોલો તો અર્થ ઉચિત ન ભાસે. પણ કપિસંયોગ સર્વત્ર નથી.એ શાખા પર જ છે, મૂળમાં નથી. શાવાયાં બોલવાથી તરત ખ્યાલ આવી જાય છે કે વૃક્ષ પર જે કપિસંયોગ છે તે શાખા પર છે, મૂળમાં નહીં. હવે અવયવ તરીકે શાખા અને ! મૂળ બન્ને સમોવડિયા છે તેથી જણાય છે કે વૃક્ષે શાલાયાં ઋષિસંયોગઃ એમ બોલવામાં જેમ એક અવયવ શાખામાં કપિસંયોગનું વિધાન થાય છે તેમ એની સાથે જ અન્ય અવયવ મૂળમાં કપિસંયોગનો નિષેધ (વ્યવચ્છેદ) પ્રતીત થઈ જાય છે. એટલે શાખા અવચ્છેદક બને છે, વૃક્ષ અધિકરણ બને છે. અર્થાત્ જ્યાં વિધાન કરતી વેળા એને સમોવડિયા અન્યમાં ગર્ભિત રીતે નિષેધ આવી જતો હોય એ અવચ્છેદક બને. અને જેમાં ભાવ-અભાવ બન્ને હોય એ અધિકરણ બને. એટલે પ્રસ્તુતમાં, શાલાવન્કેન વિસંયોગવાનું વૃક્ષ: તથા, મૂત્તાવર્જીતેન પિસંયોગમાવવાનું વૃક્ષઃ એમ થશે. હવે, ાનીમત્ર પટ: નો વિચાર કરીએ... તો આટલું વાક્ય અવચ્છેદક અને અધિકરણનો નિર્ણય કરવા માટે અધૂરું લાગે છે, કારણ કે કયા સમોવડિયામાં નિષેધ કરવો છે એ પ્રતીત થતું નથી. આ વાક્યની પૂર્ણતા બે રીતે થઇ શકે. (૧) લાનીમત્ર પટ:, ન તવાનીમ્ અને (૨) વાનીમત્ર થટ:, ન તંત્ર... પ્રથમ વાક્યમાં તાતમાં વિધાન છે અને તામાં નિષેધ છે. તેથી બે કાળ સમોવડિયા બનવાથી કાળ અવચ્છેદક બનશે ને દેશ અધિકરણ બનશે. એટલે કે તાતાવરેન ઘટવાન્ તદ્દેશ:, તાતાવર્જીતેન પટામાવવાનું તવેશ: બીજા વાક્યમાં તદ્દેશમાં ઘટનું વિધાન છે ને તદ્દેશમાં નિષેધ છે. તેથી બે દેશ સમોવડિયા બનવાથી દેશ અવચ્છેદક બનશે ને કાળ અધિકરણ... એટલે કે તશવ છેવેન પટાધિરળ તાન્ત: | (तद्देशावच्छेदेन घटानधिकरण एतत्कालः ।) જ્યારે ભૂતલ પર ઘડો હોય ત્યારે તાત્તિ ઘટવૃત્તિતાનો અવચ્છેદક થાય, આ જ ઘટકાલ કહેવાય છે. અને જ્યારે ભૂતલ પર ઘડો ન હોય ત્યારે ફાનીમત્ર ઘટામાવ: એવી બુદ્ધિ થવાથી એતત્કાળ ઘટાભાવીયવૃત્તિતાનો અવચ્છેદક બને છે. આ જ ઘટાભાવકાળ છે. આવા ઘટાભાવકાળવિશિષ્ટભૂતલ એ ઘટાભાવને રહેવાનો સંબંધ છે. એટલે જ્યારે ઘડો લાવવામાં આવે ત્યારે તો આ સંબંધ હાજર ન હોવાથી ઘટાભાવવત્તા બુદ્ધિ શી રીતે થાય ? કારણ કે એ વખતે તો ઘટકાળ વિશિષ્ટ ભૂતલ હોય છે.
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy