SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અભાવ નિરૂપણ 93 (૬) ઘડો જ્યારે પાકથી લાલ થઈ જાય ત્યારે શ્યામરૂપ નષ્ટ થઈ ગયું હોવાથી (વિશેષણ હાજર ન હોવાના કારણે) શ્યામરૂપવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી. (આમ વૈશિને નિત્ય માનવામાં ઘટાનય પછી પણ ઘટાભાવવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ દેખાડી એટલે પૂર્વપક્ષી શંકા કરે છે કે – શંકાઃ તો પછી અમે વૈશિટ્ય સંબંધને અનિત્ય માનીશું.) (૭) સમાધાન: આ તો તમે ઊલમાંથી ચૂલમાં પડ્યા. અનંતા સંબંધીઓમાં સંબંધત્વની કલ્પનાનું ગૌરવન કરવું પડે એ માટે તમે નવો સંબંધ કવ્યો. અને હવે જો એને અનિત્ય માનશો તો સર્વત્ર એને જુદો જુદો અને અનિત્ય માનવો પડવાથી અનંતા સંબંધો, તેના ઉત્પાદ, વિનાશ, પ્રાગભાવ, ઉત્પાદકો, નાશકો વગેરે માનવાનું તમારે જ મહાગૌરવ થશે. એટલે, અભાવને રહેવા માટે આવો નવો સંબંધ માનવા કરતાં સ્વરૂપસંબંધ માનવો જ યોગ્ય છે. (શંકાઃ જો સ્વરૂપસંબંધ માનશો તો ઘટાનયન પછી પણ ઘટાભાવવત્તાની બુદ્ધિ થવાની આપત્તિ તમારે પણ આવશેજ. કારણકે એ વખતે પણ ભૂતલ ( વિશેષ્ય), ઘટાભાવ (=વિશેષણ) અને ભૂતલનું સ્વરૂપ (સ્વરૂપસંબંધ) હાજર છે જ. સમાધાનઃ અમે ભૂતલના સ્વરૂપસામાન્યને સંબંધ રૂપે નથી કહેતાં, કિન્તુ સ્વરૂપવિશેષને સંબંધરૂપે કહીએ છીએ જે ઘટાનયન પછી હાજર ન હોવાથી એ બુદ્ધિ થવાની આપત્તિ આવતી નથી. એ સ્વરૂપવિશેષ આ છે. (૮) જ્યારે જ્યારે ટામાવિવલ્ભૂતત આવુંપ્રમાત્મક જ્ઞાન થાયતત્તત્કાલીન ભૂતલ વગેરે (જ્યાં જ્યાં ઘટાભાવાદિ બુદ્ધિ થઈ છે તે અધિકરણ) (ઘટાભાવાદિ) તેતે અભાવને રહેવાના સંબંધનું કામ કરે છે. (ઘડોલાવ્યા પછી ટમાવવત્ મૂતલમ્ એવી બુદ્ધિ થતી ન હોવાથી એવી બુદ્ધિકાલીન ભૂતલ હાજર ન હોવાથી સંબંધ વિદ્યમાન હોતો નથી.) આમ અભાવને રહેવાનો સંબંધ સ્વરૂપ સંબંધ છે. ને અવયવી વગેરેને રહેવાનો સંબંધ એક સ્વતંત્રસમવાયસંબંધ છે એ નિશ્ચિત થયું. ૧૧// (ા.) સમાવતુ દિથા સંન્યામાવએતઃ (मु.) अभावं विभजते-अभावस्त्विति । अभावत्वं द्रव्यादिषट्कान्योन्याभाववत्त्वम् । संसर्गेति । संसर्गाभावान्योन्याभावभेदादित्यर्थः । (અભાવ નિરૂપણ) (કા.) અભાવ તો સંસર્ગાભાવ અને અન્યોન્યાભાવ એવા ભેદથી બે પ્રકારે છે. (મ.) હવે ક્રમપ્રાપ્ત ૭મા પદાર્થ અભાવનું ૧૨મી કારિકામાં વિભાજન કરે છે. આમાં અભાવત્વ એટલે દ્રવ્યાદિષક ભેદવસ્વમ. સંસર્ગભાવ અને અન્યોન્યાભાવ એવા ભેદે અભાવ બે પ્રકારે છે એમ અર્થ જાણવો. (વિ.) માવમિત્રત્વ અમાવત્વ... આવા લક્ષણમાં ત્રણ દોષો દર્શાવાય છે. (૧) પદમાવવત્ તત્તમ્ એવું જ્ઞાન કરવા માટે વિશેષણ રૂપે પહેલાં ઘટાભાવને જાણવો પડશે. એ અભાવ ભાવભિન્ન સ્વરૂપ હોવાથી પહેલાં ભાવત્વજાણવું પડશે. એટલે ભાવત્વરૂપ વિશેષણનું જ્ઞાન નહીં હોય ત્યારે ટમાવવત્ મૂતલમ્ એવું જ્ઞાન નહીં થવાની આપત્તિ આવે. (૨) વળી ભિન્નતંએટલે ભેદ=અન્યોન્યાભાવ. તેથી અન્યોન્યાશ્રયદોષ આવશે. કારણકે અભાવના લક્ષણમાં અન્યોન્યાભાવનો સમાવેશ છે. ને આગળ અન્યોન્યાભાવના લક્ષણમાં તાકાવ્યસંવંધાવચ્છિન્નપ્રતિયોગિતામવિત્વ
SR No.032156
Book TitleNyaya Siddhant Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri Gani
PublisherAndheri Gujarati Jain Sangh
Publication Year2000
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy