SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ પ્રથમ નિહ્નવ જમાલિ સંથારો પાથરો ત્યારે શિષ્યો સંથારો પાથરવાના કામમાં જોડાયા અડધો ભાગ લગભગ પથરાઈ ગયો હતો. બાકીનો ભાગ હજા પથરાતો હતો પાથરવાની ક્રિયા ચાલુ હતી.ત્યારે જ તેમાંના કેટલાક શિષ્યોએ ગુરુજીને (એટલે કે જમાલિજીને) કહ્યું કે સાહેબ, પધારો સંથારો પથરાઈ ગયો છે. ત્યારે જમાલિ પોતાના સ્થાનથી ઉઠ્યા અને જયાં સંથારો પથરાયો છે ત્યાં આવ્યા. ત્યાં પોતાને શયન કરવું છે તાવની તીવ્રતા પણ છે ત્યાં આવ્યા પછી સંથારો પથરાતો હતો હજુ બધું ઠીકઠાક કરાતું હતું તે જોઈને જમાલિજીએ કહ્યું કે સંથારો પાથર્યો ક્યાં છે ? આ તો હજા પથરાય જ છે ત્યારે શિપ્યપરિવારે કહ્યું કે હે ગુરુજી ! પથરાતા (પાથરવાની ક્રિયા કરાતા) એવા સંથારાને પાથર્યો જ કહેવાય કારણ કે જે જે આકાશપ્રદેશમાં જે જે સમયે તે સંથારો પથરાય છે. તે તે આકાશપ્રદેશમાં તે તે સમયે પથરાયો જ છે, આમ કહેવાય. જે પથરાતો હોય તે પથરાયો પણ કહેવાય અને પથરાતો પણ કહેવાય. સંપૂર્ણ એવો આ સંથારો જે જે સમયોમાં પથરાય છે તે તે સમયમાં પથરાયો છે આમ પણ કહેવાય અને પથરાય છે આમ પણ કહેવાય આવું મહાવીરપ્રભુનું વચન છે. શ્ચિયમા તપ , યિમક િવ્ય” જે જે કાર્ય જે જે સમયોમાં કરાતું હોય તે તે કાર્ય તે તે સમયમાં કરાયું છે. આમ પણ કહેવાય અને કરાય છે આમ પણ કહેવાય આ પ્રમાણે મહાવીર પ્રભુનું વચન છે. આમ શિષ્યોએ જમાલિજીને સમજાવ્યા. પરંતુ જમાલિજી આ સર્વ હકિકત ત્યારે સ્વીકારતા નથી. તેઓ એમ કહે છે કે પથરાતું હોય તેને પથરાતુ જ કહેવાય પણ પથરાયેલું છે. આમ ન કહેવાય અર્થાત્ કરાતું હોય તેને કરાતું જ કહેવાય પણ કર્યું છે આમ ન જ કહેવાય આમ કહીને મહાવીરજીના વચનને જમાલિજી મિથ્થારૂપે જણાવે છે જમાલિજીનું આ કથન ઉચિત નથી અર્થાતુ અયુક્ત છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુના વચનોના આશયનો તે કાળે તેઓને ખ્યાલ રહ્યો નથી. મિથ્યાત્વમોહના ઉદયથી પોતાની વાતને અતિશય પકડી રાખીને બોલી ઉઠે છે કે કરાતું હોય તેને કરાતું જ કહેવાય પણ કરાયું છે આમ ન કહેવાય પરંતુ ભગવાનનું વચન ઘણા ઘણા નયોથી ભરેલું છે. સર્વનયસાપેક્ષ વીતરાવચન હોય છે. આ વાતનો ખ્યાલ તે કાલે તેઓશ્રી ભૂલી જાય છે અને હઠાગ્રહમાં આવી જાય છે પરંતુ ભગવાન શ્રી મહાવીર પ્રભુ “કરાતુ હોય તેને કરાયું પણ નિશ્ચયનયથી જેમ માને છે તેમ “કરાતુ હોય તે હજા કરાયું નથી પણ “વૃત” છે આમ પણ ભગવાન કથંચિત્ વ્યવહાર નયના મત પ્રમાણે પણ માને જ છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy