SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બહુરતમત નિલવવાદ પરંતુ કોઇક કાર્ય કરાતું હોય અને કોઇક કાર્ય ઉપરતક્રિયા વાળું હોય છે. અર્થાત્ તે કાર્ય અન્તિમ એક સમયમાં કરાતું છે વિમાળ છે અને તેના પછીના સર્વ સમયોમાં કરાયેલું છે. એટલે ૩પરતવિા વાળું છે. | ૨૩૨૦ ॥ ૨૬ વિવેચન :- ઉ૫૨ સમજાવ્યા પ્રમાણે વર્તમાન ક્રિયા ક્ષણમાં જ પ્રગટ થનારૂં તે કાર્ય નિયમા કૃત જ (કરાયેલું) છે. આમ કહેવાય છે જે કાર્ય જે સમયમાં આરંભાય છે. તે કાર્ય તે સમયમાં જ સમાપ્ત થાય છે. પરંતુ જે કાર્ય નૃત (કરાયેલું) થયું છે તે કાર્ય વિમાળ પણ હોય છે. અને વૃત પણ હોય છે. કાર્ય કરવાના કાલના અન્તિમ એક સમયમાં તે વિમાળ છે. અને ત્યાર પછીના તમામ સમયોમાં તે ત છે. આ રીતે વિકલ્પનીય હોય છે. સારાંશ એ છે કે જ્યારે ઘટકાર્ય બને છે. ત્યારે તેના અન્તિમ સમયમાં તે કરાયેલું એટલે કૃત થયેલું કાર્ય તે સમયમાં ઘટકાર્ય બનાવવાના ચરમસમયમાં ક્રિયમાણ કહેવાય છે. પરંતુ તેના પછીના સર્વ સમયોમાં તે કાર્ય ઉપરતક્રિયાવાળું બન્યું છતું કૃત જ કહેવાય છે. આગના ભઠ્ઠામાં પકવવા આદિ કાર્ય કર્યા પછીના સર્વસમયોમાં ત એવું તે કાર્ય વિમાળ કહેવાતું નથી. આ રીતે ભજનાવાળું બને છે કારણ કે તે ઘટને બનાવવાની જે ક્રિયા તે સર્વથી સમાપ્ત થઈ ગઈ છે માટે તે પરતવિા વાળું બન્યું છે આમ કહેવાય છે. સારાંશ કે જે કાર્ય ક્રિયમાણ હોય છે તે કૃત જ કહેવાય છે. પરંતુ જે કૃત હોય છે તે કાર્ય તે એક સમયમાં ક્રિયમાણ પણ છે અને પછીના સર્વ સમયોમાં કૃત પણ છે. આ રીતનો કાર્ય કારણ ભાવ છે. સાચી હક્કિત આ પ્રમાણે છે. II૨૩૨૦ા તે આ કાર્યકારણભાવ સામાન્યથી સમજાવીને હવે પ્રસ્તુત એવા જમાલિ દ્વારા સંથારો પાથરવાની બાબતમાં ઉપરોક્ત સર્વ હકીકત જે સ્થવિર મહાત્માઓએ કહી છે તે યુક્તિ સમૂહને જણાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે जं जत्थ नभोदेसे, अत्थुव्वइ जत्थ जत्थ समयम्मि । तं तत्थ तत्थमत्थुयमत्थुव्वंतं पि तं चेव || २३२१ ॥ ગાથાર્થ :- જે જે સંથારો પાથરવા આદિનું કાર્ય જે જે આકાશ પ્રદેશમાં જે જે સમયમાં કરાય છે. તે તે કાર્ય તે તે સમયમાં ત્યાં પાથર્યો જ છે. આમ પણ કહેવાય છે. અને પથરાય છે આમ પણ કહેવાય છે ॥૨૩૨૧ | વિવેચન :- જમાલિને તાવ અને માથાનો દુઃખાવો એકવખત બહુ જ જોર કરતો હતો ત્યારે જમાલિએ પોતાના શિષ્યોને કહ્યું કે મારે શયન કરવું છે. મારા માટે તમે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy