SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ' શ્રીહલ્લા અને શ્રીવિહલ નામના મુનિવરેની કથા (૧૫) કેણ છે?” મંત્રીઓએ કહ્યું. “મહારાજ ! અમે કુલવાલક મુનિને તે જાણુતા નથી પણ આપણ નગરમાં ઉત્તમ બુદ્ધિવાલી માગધિકા વેશ્યા તે રહે છે ખરી.” કણિકે કહ્યું. “ત્યારે તે માગધિકા વેશ્યાને ઝટ અહિં તેડાવે.”પ્રધાનેએ ભૂપતિની આજ્ઞાથી પોતાના નગરે માણસ એકલી માગધિકાને તુરત રાજાની આગલ બેલાવી આણી. માગધિકાને જે પ્રસન્ન થએલા કણિકે તેણીને કહ્યું. “હે સુંદરિ! કાર્યની જાણ એવી તું કુલવાલક મુનિને પિતાને પતિ બનાવી અહિં લાવ. હે ભદ્રે ! તેને લાવવાથી તેને મડે લાભ થશે.” રાજાનાં આવાં વચન સાંભળી હર્ષિત થએલી માગધિકાએ કહ્યું “હે પ્રભે ! તે કુલવાલક મુનિ ગમે ત્યાં રહ્યા હશે ત્યાંથી હું તેને મહારે પિતાને પતિ બનાવી ઝટ આપની પાસે લાવીશ.” આવી પ્રતિજ્ઞાથી ભૂપતિને સંતેષ પમાડી માગધિકા પિતાના ઘેર આવી મનમાં વિચાર કરવા લાગી કે “કુલવાલક દંભ વિના મ્હારા પાસમાં આવશે નહીં, માટે હું સુશ્રાવિકા બની દંભથી તેને હારા વશ કરું.” આમ વિચાર ધારી તે વેશ્યા દેવપૂજામાં અતિ તત્પર એવી શ્રાવિકા થઈ ત્યાર પછી મીષથી પંડિતા એવી તે વેશ્યાએ કોઈ એક સુગુરૂ પાસે જઈ તેમને પૂછયું. “હે મહામુનિ ! કુલવાલક મુનિરાજ પૃથ્વીમાં વિખ્યાત સંભળાય છે, તે તે મુનિરાજ ક્યાં હશે? વળી તેમનું જેવું સ્વરૂપ હોય તે પણ મને કહો. કારણ કે તેમને વંદન કરવાની મને બહુ સ્પૃહા છે.” ગુરૂએ કહ્યું: પાંચ આચાર પાળવામાં તત્પર અને ઉપશમધારી કોઇ એક ગુરૂને દુષ્ટ બુદ્ધિવાળે અને વાંદરાના સરખો ચપળ બાલ શિષ્ય હતે. સૂરીશ્વર તે પિતાના બાલ શિષ્યને આદર સહિત આચારશિક્ષા શિખવાડતા. કારણ કે સુગુરૂઓ જે જે હિતકારી હોય તેને તેને ઉપદેશ આપે છે. બાલશિષ્ય બહુ દુર્વિનિત હતું તેથી તેને ગુરૂ જે જે હિતકારી શિખામણ આપતા તે તે અહિતકારી થતી. કહ્યું છે કે સર્પને પાયેલું દુધ વિષ રૂપ થાય છે. એકદા પિતાના બાલશિષ્ય સહિત તે સુગુર ઉજયંત (ગિરનાર ) પર્વત ઉપર શ્રી નેમનાથ પ્રભુને વંદન કરવા માટે ગયા. રેવતાચલ ઉપર જઈ અનુક્રમે ત્યાંના જિનેશ્વરોના પ્રતિબિંબને નમસ્કાર કરી શ્રીમાનું અને ઉત્તમ પુણ્યવંત એવા તે સુગુરૂ જેટલામાં પાછા ઉતરતા હતા તેટલામાં પાછલ ચાલ્યા આવતા એવા દુરાત્મા બાળશિષ્ય પિતાના દુષ્ટ સ્વભાવને લીધે ગુરૂને વધ કરવાના વિચારથી એક હોટે પથ્થર રેડવ્યો. જાણે વજાનો દંડ હાયની ? એમ દડી આવતા એવા પથ્થરને ખડખડાટ શબ્દ સાંભળી ગુરૂએ તુરત પિતાના પગ પહોળા કર્યા જેથી તે પથ્થર બને પગ વચ્ચે થઈ ચાલ્યો ગયો. એગ્ય છે, ઘણું કરીને આપત્તિઓ ધર્મવંત પુરૂષને વિષે પિતાનું બલ ફેરવી શકતી નથી. પછી મહાખેઘ પામેલા ગુરૂએ તે ક્ષુલ્લકને તેના તુચ્છ કાર્યથી શ્રાપ આપે. કે “અરે પાપી ! સ્ત્રીઓના સંગથી હારું વ્રત ભંગ થશે.” ક્ષુલ્લકે કહ્યું. “હે ગુરે ! હું તમારે શ્રાપ નિષ્ફલ કરીશ. કેમકે હું અરણ્યમાં નિવાસ કરીશ જેથી
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy