SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (સ્પર) શ્રીગણિબહલ વૃત્તિ ઉત્તરાદ્ધ, ત્યાં સ્ત્રીઓ હારા જોવામાં પણ આવશે નહીં. ” પછી દુષ્ટ બુદ્ધિવાળો મુલ્લક એરૂની પેઠે તુરત ગુરૂને ત્યજી દઈ સિંહની પેઠે નિર્જન અરણ્યમાં ગયે. ત્યાં તે પર્વતની પાસેના ભાગમાં નદીને કાંઠે નિરંતર કાર્યોત્સર્ગ રહે છે. અને માસે અથવા અર્ધ માસે વટેમાર્ગ પાસેથી ભેજન મેળવી પારણું કરે છે. આ પ્રમાણે ક્ષુલ્લક પર્વતની પાસે નદીના કાંઠા ઉપર તપ કરતે હતે એવામાં મેઘના સમૂહથી સુશોભિત એવી વર્ષાઋતુ આવી. જલથી તે નદી ચારે બાજુથી સંપૂર્ણ ભરાઈ ગઈ એટલે મુલકના તીવ્ર તપથી પ્રસન્ન થએલી પર્વત અને નદીની અધિષ્ઠાયક દેવીએ વિચાર્યું જે “ નદીને કાંઠે બેઠેલા આ મુનિરાજને જલને સમૂહ પલાળી દેશે, તેમાં જે હું તેમની ઉપેક્ષા કરું તો મ્હારી શક્તિ નિષ્ફલ ગણાય.” આમ ધારી નદીની અધિષ્ઠાયકે દેવીએ નદીને પ્રવાહ બીજી દિશામાં પ્રવર્તાવ્યું. કહ્યું છે કે તપસ્વી પુરૂની મોટી આપત્તિ નાશ પામે છે. સુગુરૂ માગધિકા વેશ્યાને કહે છે કે, તે દિવસથી તે ક્ષુલ્લક મુનિરાજનું કુલવાલક એવું નામ પડ્યું છે. હમણાં તે તનિધિ નદીના પ્રવેશને વિષે નિવાસ કરીને રહ્યા છે.” માગધિકા વેશ્યા સુગુરૂનાં આવાં વચન સાંભળીને પછી તુરત બીજી સ્ત્રીને સાથે લઈ તીર્થયાત્રાના મીષથી કુલવાલક મુનિ તરફ જવા નિકળી. ત્યાં તે દંભીશ્રાવિકાએ મુનીશ્વરને વંદના કરી “તમને વંદન કરવાથી મેં ગિરનાર વિગેરે સર્વ તીર્થને વાંદ્યા.” એમ કહ્યું. મુનિરાજ કુલવાલકે પણ કાર્યોત્સર્ગ પારી અને ધર્મ લાભની આશિષ આપી “હે ભદ્ર! તમે કયાંથી આવ્યાં છે?” એમ પૂછયું. માગધિકાએ કહ્યું. “હું ચંપા નગરીથી તીર્થયાત્રા કરવા નિકળી છું અને અહિં આવી છું કારણ તમે સર્વ તીર્થથી ઉત્તમ તીર્થ રૂપ ગણાઓ છો. હે મુનીશ્વર ! મ્હારી પાસે નિર્દોષ એવું ભાથું છે, તે સ્વીકારી પાપનો નાશ કરનારું પારણું કરે કે જેથી મને હર્ષ થાય.” કેમળ મનવાળા મુનિ, તેની પૂર્ણ ભક્તિને લીધે તેના અનર્થકારી આશ્રમમાં ભિક્ષા લેવા ગયા ત્યાં તેણીએ પિતે કપટ દાસી પાસે મુનિને રચના પદાર્થ મિશ્રિત ઉત્તમ મેહક વહેરાવ્યા. મુનિ કુળવાલકે તે મોદકોને ભક્ષણ કર્યા જેથી તેમને બહુ અતિસાર (ઝાડા) થયે, તેથી મુનિરાજ એવી ગ્લાનિ પામ્યા કે તે ઉઠી શકવાને પણ સમર્થ થયા નહીં. પછી અવસર અને કાર્યની જાણ એવી માગધિકાએ કુલવાલક મુનિને કહ્યું. “હે મહાનુભાગ! તમે મહારા ઉપર દયા કરી પારણું કર્યું છે તમને હારું ભાથું ખાવાથી આ આવી દુર્દશા પ્રાપ્ત થઈ છે માટે ઘાઢ પાપથી મલીન એવી મને ધિક્કાર થાઓ, આવી દશા પામેલા તમને એકલાને ત્યજી દઈ સંયમિનીની પેઠે હારા પગ અહીંથી આગળ ચાલવા ઉત્સાહ પામતા નથી.” આ પ્રમાણે કહીને મહા દંભવાળી તે માગધિકા વેશ્યા, મુનિના શરીરને છેવું, ઉત્તમ ઔષધ આપવાં ઈત્યાદિ સેવામાં તત્પર થઈને ત્યાં મુનિ પાસે રહી.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy