SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શિવરાજર્ષિની કથા, તે શીવ તાપસને સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું ગોચર એવું વિભંગ સાન ઉત્પન્ન થયું. તેથી તે નગરમાં આવીને તેની પાસે સંખ્યાવંત દ્વીપનું સ્વરૂપ નિરૂપણ કરવા લાગે. આ અવસરે સર્વના હિતચિંતક એવા શ્રી વીર પ્રભુએ પોતાના સાધુએને કહ્યું કે, “હે મુનીશ્વરે! તમે શીધ્ર શિવ તાપસ પાસે જઈ તેને કહે છે તે લોકોની પાસે દ્વીપ અને સમુદ્રનું મિથ્યા પ્રરૂપણ કર નહિ કારણ કે શ્રી જિનેશ્વરોએ દ્વીપ અને સમુદ્રો અસંખ્યાતા કહેલા છે માટે ઉત્સુત્રનું નિરૂપણ કરનારા પુરૂષને મહા પાપ લાગે છે” પ્રભુનું વચન અંગીકાર કરી સર્વે સાધુઓએ શિવ તાપસ પાસે આવીને જિનેશ્વર એવા શ્રી વીર સ્વામીની આજ્ઞા કહી. શીવ તાપસ પણ તે વાત સાંભળી કર્મક્ષયને વિષે મનમાં શંકા ધરતે છતો સાધુઓને પૂછવા લાગ્યો કે, “તમને આ સર્વ કયા મહાત્માએ કહ્યું છે?” સાધુઓએ કહ્યું “હે શિવરાજર્ષિ! સર્વ દર્શનના જાણ અને સર્વજ્ઞ એવા શ્રી વીર નામના મહાત્માએ એ સર્વ અમને કહ્યું છે.” પછી શિવ તાપસ વિચારવા લાગ્યો “હમણાં શ્રી વીરનામના મહાત્મા સર્વજ્ઞ અને રાગરહિત સંભળાય છે તે તે મિથ્યા કેમ બેલે? માટે ચાલ હમણાં તેમની પાસે જઈ અને મહારા હદયના સંશયને દૂર કરી તેમના કહેલા ધર્મને હું અંગીકાર કરૂં.” આમ વિચાર કરીને તે શિવ તાપસ સાધુઓની સાથે શ્રીજિનેશ્વર પ્રભુ પાસે ગયા અને પિતાના આત્માને નિઃસંશય કરી પ્રતિબંધ પા પે. ત્યાર પછી તે મહામુનિ શિવ તાપસ, જિનેશ્વરની પાસે જેની દીક્ષા લઈ થોડા કાળમાં એકાદશાંગીના જાણ થયા. તીવ્ર તપથી ઉપસર્ગને સહન કરી અને કેવળજ્ઞાન પામી તે શિવમુનિ મોક્ષપદ પામ્યા. અજ્ઞાનવડે કરેલા ઉગ્ર તપથી ઉત્પન્ન થએલા વિલંગ જ્ઞાને કરી સંખ્યાવંત દ્વીપ અને સમુદ્રનું સ્થાપન કરવામાં તત્પર અને તાપસેના અધિપતિ એવા શિવ તાપસ, શ્રી વીર પ્રભુના વચનથી પ્રતિબંધ પામી, વ્રત લઈ એકાદશાંગીને અભ્યાસ કરી અને છેવટ કેવલજ્ઞાન પામી અવ્યય એવા મોક્ષપુરના એશ્વર્યને પામ્યા. 'श्री शिवराजषि ' नी कथा संपूर्ण. चजसहि करिसहस्सा, बउसहि सअठदंत असिरा । दंते अ एगमेगे, पुखरिणीअं अष्ठ ॥ ८१ ॥ ઇંદ્રની આજ્ઞાથી ઐરાવત નામના દેવતાએ ચોસઠ હજાર હસ્તિના રૂપ વિકલ્થ તેમાં એક એક હસ્તિને આઠ આઠ મસ્તક, મસ્તકે મસ્તકે આઠ આઠ દાંત અને એક એક દાંતને વિષે આઠ આઠ વાગ્યે. ૮૧ છે अट लक्खपत्ताई, तासु पउमाई हुंति पत्ते । પ પ વરસ ના રહી વિડ્યો તે ૮૨ ||
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy