SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વષિaહલવૃત્તિ ઉત્તરાદ્ધ હેવિ! વારંવાર કેની આગલ જઈને પ્રશ્નો પૂછીશ તેમ હું ભદન, ભદન્ત કેને કહીશ, તેમ મને ગૌતમ કહીને કોણ બોલાવશે, હાહા વીર! આ શું કર્યું? આવા અવસરે મને દૂર કર્યો, શું બાલકની માફક હું તારે છેડો પકઠત અથવા શું કેવલજ્ઞાનમાં ભાગ માગત અથવા શુ મને લઈ ગયા હતા તે મેક્ષમાં સંકીર્ણતા થાત? * આ પ્રમાણે શ્રી ગૌતમ પ્રભુ બાલકની પેઠે વિવિધ પ્રકારના વિલાપ કરીને પછી ઉત્પન્ન થએલા વિવેવાલા તે પિતે મનમાં વિચાર કરવા લાગ્યા. “હા મેં જાયું. વીતરાગ પુરૂષે સ્નેહરહિત હોય છે. મને પ્રમાદીને જ ધિક્કાર થાઓ. કારણ કે જે મેં અહિં શ્રતોપયોગ સ્વીકાર્યો નહીં. મૂઢ એ હું આ મેહરહિત એવા શ્રી વીર જિનેશ્વરને વિષે વૃથા મેહ કરું છું કે જે મેહ નિચે સંસારનું કારણ છે. હું એકજ છું. હારું કઈ નથી.” આવી રીતે વિચાર કરતા એવા તે શ્રેષ્ઠ ગતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. સવારે ઈંદ્રાદિ દેવતાઓએ તેમને એ કેવળમહત્સવ કર્યો કે જેથી સર્વે અને બહુ હર્ષ પામ્યા. આવી રીતે મૈતમ ગણધરના અધિક દર્શનથી પ્રતિબંધ પામી ચારિત્ર અંગીકાર કરનારા અને શુદ્ધ ચિત્તવાળા તે ડિન્નદિનાદિ તાપસે પિતા પિતાના શિષ્ય સહિત કેવળજ્ઞાન પામીને નિત્ય લક્ષમીના સ્થાનરૂપ શિવપદ પામ્યા. श्रीकोडिन्न, दिन्न अने सेवाल मुनिनो संबंध संपूर्ण विप्परिवडिअविभंगो, संबुद्धो वीरनाहवयणेण ॥ सिवरायरिसी इकार-संगवी जयउ सिद्धिगओ ॥ ८०॥ વિસંઘટિ અવધિ જ્ઞાનના આભાસવાલા શ્રીવીર પ્રભુના વચનથી પ્રતિબંધ પામેલા, એકદસંગીના જાણું અને છેવટ સિદ્ધિપદ પામેલા શ્રીશિવરાજર્ષિ વિજ્યવંતા વર્તો. | | ‘રિવેરૂમર’ નામના રાની જાય છે. આ ભરત ક્ષેત્રના મગધ દેશને વિષે સર્વ પ્રકારના સુખથી પૂર્ણ અને પ્રજાને આનંદકારી એવા શિવ નામે રાજા રાજ્ય કરતે હતો. તેના કેશમાં નિરંતર ધન ધાન્યાદિ વૃદ્ધિ પામતું હતું તેથી લઘુ કમી એવા તે ભૂપાળને મનમાં વિચાર થયે કે “નિશ્ચ પૂર્વ ભવના ઉત્પન્ન થએલા ધર્મરૂપ કલ્પવૃક્ષનું આ ફલ છે. માટે આ ભવમાં પણ તે ધર્મ ૫ કલ્પવૃક્ષનું સેવન કરું કે જેથી બીજા ભવમાં તેનું ઉત્તમ ફલ પામી શકાય.” આ પ્રમાણે વિચાર કરતા તે શિવ ભૂપતિને વૈરાગ્ય પ્રાપ્ત થશે. તેથી તેણે ભેજના વસ્ત્રાદિકથી સર્વ સ્વજનોને સંતોષ પમાડી દીન તથા અદીનજનેને મહા દાન આપી અને હર્ષથી પિતાના પુત્રને ઉત્સવપૂર્વક રાજ્યાભિષેક કર્યો. પછી પિલે કાવેલા ત્રાંબાના અદ્ભૂત ભિક્ષાપાત્રને તથા જલપાત્રને લઈ તાપસ થયે અવે અહર્નિશ છઠ્ઠ અઠ્ઠમાદિ ઉગ્ર તપ કરી પારણાને વિષે પકવાન્નની પેઠે સુકાં પાર્ક વિગેરેનું ભક્ષણ કરવા લાગ્યું. આ પ્રમાણે સમતાથી રહેલા એવા
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy