SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ % ૮ ] ઉપસ‘હાર કિશે।રલાલ મશરૂવાળા [૩૫૭ કિશોરલાલમાં સત્યશેાધકવૃત્તિ પ્રકૃતિદત્ત હતી. તેમણે જ એ વિશે લખ્યું છેઃ “વિષયના હામાં ઊતરી તેનું પૃથક્કરણ કરી બુદ્ધિમાં ઉતારી લેવા એ મારી અભ્યાસની ટેવ છે... એ વિચારી લેવાથી.... વિચારશુદ્ધિ અથવા વિચારદોષ કેટલા છે એ પણ સમજી શકાય.”૪૧ વળી, તેમના ઘડતરકાળના પ્રારંભથી જ સ્વામિનારાયણ સ ંપ્રદાયની ઊંડી ધર્મશ્રદ્ધા તેમ જ પરંપરાગત ધાર્મિક માન્યતાઓની ઊંડી અસર કિશારલાલ ઉપર હતી. આને કારણે તેમના મનમાં ભારે મંથન શરૂ થયું. ચિત્તનું સમાધાન કરવા એકાંતસાધના કરી. ચિત્તને વ્યાકુળ કરતા મનેામથનના અંધકારમાં કેદારનાથજીના માદર્શનથી પ્રકાશ પડયો. તેનાથી નવી જીવનદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને કિશારલાલે શાન્તિ અને સ્વસ્થતાને અનુભવ કર્યો. આપણું શ્રેય અને સમાજનુ શ્રેય એક જ છે, સમાજધમ છેાડીને અંગત શ્રેય સાધવાની ઉપાસના દોષરૂપ છે અને “સંયમ, માનવસંપત્તિના ઉત્કર્ષ અને તેમાં મેળ, પરિણામે વિવેક અને તત્ત્વજ્ઞાનના ઉદ્દય... આવી સત્ત્વસંશુદ્ધિને જીવનનું ધ્યેય, જીવનના સિદ્ધાંત કહી શકાય.’૪ર જીવનલક્ષી આ વિચારદષ્ટિ કેદારનાથજીએ કિશોરલાલને આપી, જીવનશોધન'માં એ બધાનું સવિગત વિવરણુ થયુ છે. કિશારલાલની લેખનપ્રવૃત્તિની શરૂઆત તેમને નવી જીવનદૃષ્ટિ મળ્યા પછી થઈ છે તે નોંધપાત્ર છે. આ જીવનલક્ષી નવચિંતનષ્ટિ તેમનાં તમામ લખાણામાં અંતિંત થયેલી જોવામાં આવે છે. રામ અને કૃષ્ણ' આદિ ‘અવતારમાળા’માં તેના અંકુર છે અને જીવનશેાધનમાં તેને સ્વસ્થ સુવિકાસ થયેા છે. ‘જીવનશાધન’ શીર્ષીક નીચે કૌંસમાં લખેલું શેાધવુ એટલે ન જાણેલુ. ખેાળવુ' અને જાણેલુ સુધારવું' એ તેમની દિષ્ટ માટે અદ્યોતક છે. એટલુ` જ નહિ પણ પ્રસ્તાવનામાં લખેલા તેમના શબ્દોમાં વિવેકપૂત જીવનદૃષ્ટિનાં મૂલ્યો અને સત્યનિષ્ઠા વ્યક્ત થાય છે : “આ લેખામાં જેટલું સત્ય, વિવેકમુદ્ધિથી સ્વીકારી શકાય એવું, પવિત્ર પ્રયત્નેને પાષનારુ હાય એટલું જ તરા; જે વધારે અનુભવ કે વિચારથી ભૂલભરેલું કે પવિત્ર પ્રયત્નને નુકસાન કરે એવું હેાય તેના નિરાદર થાએ અને નાશ પામે। એમ ઇચ્છું છું.”૪૩ સ્વામી આનંદે કિશારલાલને સતાના અનુજ ગણ્યા છે તે કેટલું" યથાર્થ છે! કેળવણીના પાયા' પુસ્તક પ્રગટ થયું, ત્યારે કેળવણી અંગે નવપ્રકાશ પાડનારા કિશારલાલના વિચારો તેમાં તર્કબદ્ધ રીતે રજૂ થયા અને ગુજરાતને મૂલગામી શિક્ષણચિંતક તરીકેના પરિચય થયા. કેળવણીનાં વિવિધ અંગાનું પૃથક્કરણ અને પરીક્ષણ કરી કેળવણીમીમાંસા એ પુસ્તકમાં થઈ છે. તે વિશેની ચર્ચાવિચારણા ઉપર આપેલી છે. ‘જીવનશેાધન' ત્યાર પછીનુ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy