SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ પદ સાખીથી શરૂ થાય છે. મંગળાચરણમાં ગુરુસ્તુતિ છે. કારતકથી બારમાસીની શરૂઆત થાય છે. કારતકમાં અજ્ઞાન છે. માગશરે મરણનો ભય, ને માયાની મોહિનીમાં ન ફસાવાની જીવને ચેતવણી છે. પોષમાં કર્તાહર્તા હિર છે એ ભાન કવિ કરાવે છે. એ રીતે એમાં કશી ક્રમબદ્ધતા નથી. એ કવિની અન્ય બારમાસીમાં મંગળાચરણ નથી કે સાખીથી આરંભ પણ થયો નથી. ૩૪ જ્ઞાનમાસની જેમ જ્ઞાનની તિથિની પદમાળા પણ રચાયેલી છે. એમાં કેવળ ઉપદેશને બદલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિનો ક્રમ દર્શાવેલો હોય છે. તેથી એ પદમાળાને શુદ્ધ જ્ઞાનની પદમાળા કહી શકાય. એમાં પડવાપ્રતિપદા)થી આરંભ થાય છે અને પૂર્ણિમાથી એનો અન્ન આવે છે. દામોદરાશ્રમની જ્ઞાનની તિથિમાં પડવાથી શરૂઆત થઈ છે. પણ એકાદશી આવતાં જીવ ચૈતન્ય એક થયું. ‘બ્રહ્મસ્વરૂપ ભાસ્યું’ એમ કહ્યું છે એટલે આગળ જવાનો માર્ગ અવરોધાય છે, ને પૂર્ણિમા સુધી આવતાં કવિને મુશ્કેલી પડે છે. ઉદયરત્નકૃત શિયળની નવવાડ, કે જવિજયજીકૃત ‘અઢાર પાપસ્થાનની સજ્જાય'માં સીધો જ ઉપદેશ આપ્યો છે. પ્રથમ પદમાળામાં શીલવાન પુરુષોએ ક્યાં ક્યાં નવ તત્ત્વોથી દૂર રહેવું જોઈએ તે કહ્યું છે તો બીજામાં અઢાર પાપસ્થાનોનાં નામ જણાવી તેનો ત્યાગ કરવા જણાવ્યું છે. વસ્તુદ્રષ્ટિએ પદમાળાની વિચારણા કરતાં પ્રથમ કથાનો પ્રકાર આવે છે. નરસિંહકૃત શામળશાનો વિવાહ’, ‘હારમાળા’, મોતીરામકૃત, ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ' કથાપ્રધાન પદમાળાઓ છે. એમાં નરસિંહ એક પાત્ર હોવા છતાં, નાયક તો કૃષ્ણ જ છે, કારણ એ જ સક્રિય હોય છે. એ પદમાળાઓ ભક્તની લાજ રાખવા કૃષ્ણ જે ચમત્કારો કરે છે તે જ કેન્દ્રવર્તી પ્રસંગ છે એમાં કૃષ્ણ જ સાદ્યંત સક્રિય છે. કેટલીક પદમાળાઓમાં કેન્દ્રવર્તી પ્રસંગની પૂર્વેની પાર્શ્વભૂમિ આપી હોય છે. નરસિંહના શામળશાનો વિવાહ'માં પ્રારંભના શામળશાના વિવાહપૂર્વેની પાર્શ્વભૂમિ આપી છે. નરસિંહના ‘સુદામાચરિત’માં જદુપતિનાથ તે મિત્ર છે તમતણા' એવી સુદામાપત્નીની ઉક્તિથી કાવ્યારંભ થાય છે. મોતીરામકૃત ‘નરસિંહના પિતાનું શ્રાદ્ધ'માં પણ પાર્શ્વભૂમિ વિના સીધો જ કાવ્યારંભ થાય છે. નરસિંહની કૃષ્ણલીલા'ની પદમાળામાં મંગળાચરણ છે. પછી તરત જ કથાનું માહાત્મ્ય જણાવ્યું છે. પછી કથાની શરૂઆત થાય છે. કથનપ્રધાન પદમાળામાં કવિ પોતાને મનફાવતું ઉમેરણ કરી શકતો. ‘શામળશાનો વિવાહ’માં નરસિંહ દ્વારકામાં કૃષ્ણને ત્યાં અતિથિ થઈને રહ્યો ત્યારે
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy