SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો (પદ્યસાહિત્ય) ૩૩ પાત્ર અનિવાર્ય ન રહેતાં, અને ભ્રમરને ઉપાલંભ આપીને કૃષ્ણને એ વચનો પહોંચાડવાને બદલે ગોપીઓ સીધેસીધો જ ઉપાલંભ પોતાની વેદનાસહિત ઉદ્ધવ મારફત કહેવડાવે છે. એથી ભ્રમરગીતાને બદલે “રસિકગીતા' (ભીમ); ‘વિરહગીતા પ્રીતમ); ‘વિરહગીતા' (રાજ); ઇત્યાદિ નામો કવિઓએ આપ્યાં છે. એમાં કેટલીક પદમાળાઓ કડવાંબદ્ધ છે, પણ એ કડવાં પદકલ્પ છે, એટલાં ટૂંકા છે, તથા આખ્યાનનાં કડવાંથી એટલાં ભિન્ન છે કે એનો સમાવેશ પદમાળામાં જ કરવો પડે. પ્રેમાનંદની “ભ્રમરપચ્ચીસી'માં પચીસ ઊર્મિસભર પદો છે. ઉદ્ધવ જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપે છે ત્યારે જશોદા કહે છે – અમો અજ્ઞાનીનાં મન કાળો કામળો રે, તેને ચઢે ના બીજો રંગ, કે પહેલી શ્યામતા રે ગુણહીન ગોવાળિયા લોક, જ્ઞાન નથી પામતા રે. ગોપી કૃષ્ણને મહેણાં મારે છે, ને કટાક્ષ કરતાં કરતાં કુબ્બાની ઈર્ષા વ્યક્ત કરતાં કહે છે – ગામમાં પેસતાં કન્યા પામ્યો, ચોળવી પડી ના પીઠી રે, વર કાળો ને કન્યા ખોડી, લોક હસાવા મઠી રે. બેહદેવ, ભીમ, પ્રીતમ, મુક્તાનંદ, રાજે વગેરેએ રચેલી આ ભ્રમયુક્ત કે ભ્રમરહિત ગીતાનામી પદમાળાઓમાં રાજેની ‘વિરહગીતા', ભાવાભિવ્યક્તિ તથા રચના દ્રષ્ટિએ વધુ આકર્ષક છે. કરુણ પછી શાન્તરસની પદમાળાઓ વિષે વિચારતાં એમાં વિપ્રલંભ કે કરુણના મહિનાઓ અથવા ગીતાનામી પદમાળાઓની જેમ જ્ઞાનના મહિનાની પદમાળા આવે છે. જ્ઞાનના મહિનાની જેમ જ્ઞાનની તિથિની પણ પદમાળાઓ છે. જ્ઞાનના મહિનાની પદમાળાઓમાં પ્રત્યેક મહિને જીવને ઉપદેશ આપેલો હોય છે. એમાં એક મહિનાના ઉપદેશને બીજા મહિનાના ઉપદેશ જોડે કશો સંબંધ હોતો નથી. તેમ જ જ્ઞાનના ઉત્તરોત્તર વિકાસનો કશો ક્રમ પણ હોતો નથી. જેમ કે ભોજો એના જ્ઞાનમાસની શરૂઆત આ પ્રમાણે કરે છે – જીવ કારતકે કરની વિચાર, કેની ક્યાંથી આવી મહામુક્તામણિ મનુષ્યદેહ શે પુણ્ય પામીઓ. આ કથનને ગમે તે માસમાં મૂકી શકાય, પ્રીતમની જ્ઞાનની બારમાસીમાં દરેક
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy