SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૩૫ કૃષ્ણ એનું કેવું ભાવભીનું સ્વાગત કર્યું તેનું ચાર પદો સુધી લંબાણથી વર્ણન કર્યું છે. પદમાળામાં ભોજનસામગ્રી વસ્ત્રાભૂષણ ઇત્યાદિનાં વર્ણનો પણ સારા પ્રમાણમાં આવતાં. કેટલીક પદમાળામાં કથા સુગ્રથિત હોય છે. જ્યારે કેટલીકમાં કથાનો વણાટ ફીસો હોય છે. નરસિંહનું “સુદામાચરિત્ર સુઘટ્ટ કથાપ્રસંગોની ગૂંથણીનો પ્રકાર છે. જ્યારે નરસિંહની હારમાળા' એ શિથિલ વણાટવાળી કૃતિ છે. એમાં કેટલાંક પદો એવાં છે જેનો કાવ્યના વસ્તુ જોડે સીધો સંબંધ નથી. સુગ્રથિત પદમાળાઓ ટૂંકી હોય છે. કારણ કે એમાં કવિનું લક્ષ્ય માત્ર કથાનકના જ પ્રસ્તુતીકરણ તરફ હોય છે. હારમાળા' જેવી પદમાળામાં પદોના રાગ આપ્યા હોય છે. અને ભાવપરિવર્તન સાથે રાગ પણ બદલાય છે. પદમાળામાં સંવાદનું સ્વરૂપ પણ પ્રચલિત હતું. એ કથનરીતિની પદમાળામાં પ્રેમાનંદની “ભ્રમરપચ્ચીસી' સિવાય અન્ય પદમાળામાં કવિ વચ્ચે આવતો નથી, ને પાત્રોને જ બોલવા દે છે. રઘુનાથદાસની પદમાળામાં મોટેભાગે રાધાની ઉક્તિ છે અને રાધાકૃષ્ણનો સંવાદ છે. જેમાં કુશળતાથી બન્નેના વ્યક્તિત્વને દર્શાવ્યું છે. રણછોડની “રાવણમંદોદરી સંવાદની પદમાળાની રચના જુદા પ્રકારની છે. પ્રથમ ચાર પદોમાં મંદોદરીની વિનંતિ તથા રાવણનો ઉત્તર છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા પદમાં અનુક્રમે રામલક્ષ્મણનો, રાવણનો અને દૂતનો સંવાદ છે. અંતિમ બે પદોમાં રાવણ અને મંદોદરીનો સંવાદ છે. શરૂઆતનાં ચાર પદોમાં રાવણમંદોદરીનો સંવાદ રામ સેતુ બાંધીને આવ્યા નથી ત્યારનો છે. જ્યારે અંતિમ બે પદોનો સંવાદ રામ સૈન્ય લઈને આવ્યા તે સમયનો છે. પણ આ બદલાયેલી પરિસ્થિતિથી રાવણમંદોદરી અજાણ હોય એમ લાગે છે, કારણ મંદોદરીનું પાત્ર અત્યંત સંવેદનશીલ છે. એની વાણી પહેલાનાં બે પદો જેવી જ છે.ભાઈશંકરકૃત લક્ષ્મીપાર્વતીનો સંવાદ ભિન્ન પ્રકારનો છે. લક્ષ્મી પાર્વતીને ત્યાં બેસવા જાય છે, ત્યાં બન્ને સંસ્કારવિહીન સ્ત્રીઓની જેમ અત્યંત હલકી ભાષામાં ગાળાગાળી કરે છે. આ રીતે પદમાંથી પદમાળાનો ઉદ્દભવ થયો અને એ સ્વરૂપ વિકસ્યું. પ્રારંભિક પદમાળાઓ જોતાં જ્યાં વસ્તુ કથનપ્રધાન હતું ત્યાં પદમાળાની રચના થઈ પણ આખ્યાનના સ્વરૂપનો વિકાસ થતાં પદમાળાનાં વળતાં પાણી થયાં. ગરબો-ગરબી ગરબો અને ગરબી બન્ને સંઘનૃત્યના પ્રકારો છે. નૃત્ય કરતાં કરતાં જે ગીતો ગવાતાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy