SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૦૫ જ્ઞાનગીતામાં સામાન્ય રીતે દરેક કડવાને અંતે ગુરુભક્તિ કરતાં સંતસંગે વિરલે જયોગેન્દ્ર કહ્યું આવે છે તેમ દરેક કડવાનો અંત અખો “સેવો હરિગુરુસંતને' એવા ઉગારથી લાવે છે. નરહરિના અંતિમ પદમાં પણ ‘હરિગુરુસંતે કૃપા કરી એ' માં એ ત્રિપુટી એકસાથે નિર્દેશાઈ છે. અખામાં મળતા ગૌડપાદાચાર્યના જાતિવાદને અગાઉ નરહરિએ જ્ઞાનગીતા” માં જ્યાં છે ત્યમ' (૧૨.૮,૧૫.૧૯), “ઈમ યથાર્થ જ્યમયમ થયું (૧૪.૨) આદિ દ્વારા પુરસ્કારેલો છે. પાણીમાંથી બરફ જામવાનું ને ફરી બરફનું પાણી થવાનું અખાનું દૃષ્ટાંત પણ એની અગાઉ નરહરિમાં પણ જોવા મળે છે? “જ્યમ પાણીથી પાલો હોવે, પાલો તે પાણીરૂપ' (૧૬.૯). શબ્દો, વાક્યખંડો, ઉપમા દૃષ્ટાન્તો, બાનીની આખી ઇબારત અને કડવાં-પદનું રચનાકાઠું એ બધાં ઉપર વડેરા નરહરિની મુદ્રા “અખેગીતા'માં જોવી મુશ્કેલ નથી. તેમ છતાં, કોઈ ગુજરાતી કૃતિ અનુભવની ઉત્કટતા અને સ્પષ્ટતા-અને એને લીધે પ્રતીત થતી મૌલિકતા–વડે મંડિત હોઈ ભગવદ્ગીતાના કુળની એક સ્વતંત્ર ગીતારચના તરીકે સ્વીકારવાને પાત્ર હોય તો તે નિઃસંશય “અખેગીતા' છે. ભગવદ્ગીતાની પેઠે “અખેગીતા–માં કાવ્ય અને તત્ત્વજ્ઞાનનું આસ્વાદ્ય સંમિશ્રણ થયેલું છે. “અખેગીતા' એ ગુજરાતી તત્ત્વજ્ઞાન-કવિતાનું એક ઉચ્ચશંગ છે. ه ૩. “અનુભવબિંદુ૨૯ છૂટક છૂટક, લાંબા સમય દરમ્યાન, રચાયેલા છપ્પામાં અખાની જે સમજણ સચોટ છતાં વેરાયેલી પડી છે, અને અખેગીતા પ્રકરણગ્રંથમાં જે ક્રમબદ્ધરૂપે વિગતે નિરૂપાઈ છે તે કહો કે આચમનરૂપે “અનુભવબિંદુમાં સાંપડે છે. એની ચાળીસ કડીઓમાં નીચે પ્રમાણે વિષયનો આલેખ જોવા મળે છે. : ૧. ગ્રંથારંભ-પ્રાર્થના કડી ૧-૨ વિષયાનુક્રમનિર્દેશ આત્મજ્ઞાન માટે અનુરોધ, ગુરુસેવન બ્રહ્મ ૫-૬ માયા-ઈશ્વર-જગત ૭-૧૦ જીવ ૧૧-૧૩ બ્રહ્મભાવદશા : જીવન્મુક્ત ૧૪-૧૯ સાધનાને નામે આળપંપાળ : કર્મકાંડ, કીર્તન, પંડિતાઈ, સિદ્ધિઓ, વગેરે ૨૦-૨૩ ૯. બ્રહ્મસ્વરૂપની સૂઝ, સમજ સાચું સાધન ૨૪-૩૧ ه ه ع م
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy