SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ ‘ઠાકુરા' વગેરે સંબોધનોમાં ‘આ’કારનો પ્રવેશ શું બતાવી શકે?”૫૦ નામદેવની રચનાઓનો, સંભવતઃ યાત્રિક ભક્તો દ્વારા, નરસિંહને પરિચય છે જ. મરાઠી ભાષાનો ષષ્ઠીનો પ્રત્યય, ક્રિયાપદરૂપો, વગેરે ગુજરાતીમાં નરસિંહ પહેલાંથી પ્રચલિત લાગે છે. ‘આ’–કારાન્ત સંબોધન માટે જુઓ ‘જળકમળ છાંડી જાને બાળા' (નરસિંહ), અને ‘કંથા, તું કુંજર ચઢ્યો' (અજ્ઞાત). ભણે–મ્હણેના સામ્ય ઉપરથી અનુમાન કરવાનું ન હોય. સૌરાષ્ટ્રમાં બોલચાલમાં હજી, ભણે ડાબો મારગ લેજો’– એ રીતે ‘કહું છું’– ના અર્થમાં ‘ભણે’ વપરાય છે. શું મહારાષ્ટ્રમાં, શું ગુજરાતમાં, શું દૂર ઉડીસા-મિથિલામાં, આપણા કવિઓ ભણે' જ ને? (કે.કા. શાસ્ત્રીની નજર બહાર એ નથી. મતિ નયડેવ ૫૧ ભનઈ વિદ્યાપતિ’પર એમણે નોંધ્યા જ છે.) ભાષબોલીઓના સામ્યને કારણે, સાંસ્કૃતિક સાદેશતાને કારણે, આવાં રૂપો અને ભગવાન માટે ‘સ્વામી' જેવા શબ્દના પ્રયોગો એક કરતાં વધુ ભાષામાં મળવા અસંભવિત નથી. પણ આ વિગતો એટલી મહત્ત્વની નથી. ઝૂલણા-અભંગનું સામ્ય એમણે ચીંધ્યું છે તે રસપ્રદ છે અને બીજાં સહાયક કારણો સિવાય પણ એ છંદો ઉપર નજર રાખીને જ, એનો વિચાર કરવો ઘટે. છંદોવિદને સૂઝે એવો આ તર્ક છે. પણ એમાં મરાઠી ઓવી-અભંગની અનંત શક્યતાઓને છોડી દઈ એક જ ઢાંચામાં, ઝૂલણા બંધમાં, એને ઢાળવાનો રહે અને ગુજરાતીના ઝૂલણાને પણ એ માત્રામેળ હોવાને કારણે એનું જે લવચીકપણું (‘ઇલેસ્ટિસિટી'નો મરાઠી પર્યાય) છે તેને બદલે માત્ર એક દૃઢ અક્ષરમેળ બંધ જ સ્વીકારવો પડે. જ્ઞાનેશ્વર, નામદેવ, તુકારામ એવા સજ્જડ ઓવી–અભંગમાં હાલીચાલી શકે નહીં. નરસિંહ દૃઢ અક્ષરમેળ બંધમાં પાંખો ફફડાવી શકે નહીં. અભંગ અને ઝૂલણાનાં અનેકવિધ રૂપોમાંથી પ્રત્યેકનું અમુક એક જ ચોક્કસ રૂપ સ્વીકારવામાં આવે તો બંને વચ્ચે આકારપૂરતું સામ્ય પ્રગટે છે,–એ હકીકત પરથી તર્ક કરવા આડે મોટી વસ્તુ એ વીસરાઈ ગઈ છે કે ઓવી-અભંગ સંખ્યામેળ છે અને એનો લય સંખ્યામેળપણા પર આધારિત છે અને નરસિંહના ઝૂલણાનો લય સંખ્યામેળ૫ણા ૫૨ અવલંબતો નથી, માત્રામેળપણા (અક્ષરમેળ પણ એક ચોક્કસ આકારે માત્રામેળ હોય છે) ૫૨ અવલંબે છે અને માત્રામેળ હોવાના કારણે જ એની સ્વાભાવિકતા છે. સંખ્યામેળ અભંગના અનેક આકારોમાંથી માત્ર એક વિશિષ્ટ આકાર-ઝૂલણા તે બધાના મૂળમાં હતો અને એની ઉપ૨થી મરાઠી અભંગ છંદ બન્યો અને ગુજરાતીમાં ઝૂલણા છંદ એ અભંગની દેશી છે—એવી સંભાવના અત્યંત દૂરાકૃષ્ટ છે. ઓવી-અભંગથી જુદા જ પ્રકારના લયવાળો માત્રામેળ ઝૂલણા ગુજરાતમાં તેમ જ દેશમાં પ્રચારમાં હતો. નરસિંહે એને પોતાનું વાહન બનાવ્યો છે. ૫૩
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy