SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૮૩ ગ્રંથસાહેબમાં સમાવિષ્ટ છે. ગુજરાતમાં તેમ જ મારવાડ-રાજસ્થાનમાં (કેમકે નરસિંહની ભાષા મારુગુર્જર-ડૉ. તેસ્ટિોરી જેને જૂની પશ્ચિમી રાજસ્થાની કહે છે તે-છે) અપભ્રંશ દ્વારા મળેલો પદપ્રકાર ખીલેલો છે. અપભ્રંશ માત્રામેળ દેશીઓ અને પદોનો સગડ નાટ્યશાસ્ત્રની ધૂવાઓ અને કાલિદાસના ‘વિક્રમોર્વશીયમાં મળે છે. “નરસિંહ પોતાના સમય સુધીમાં વિકસેલી પદપરંપરાને પોતાની પ્રતિભાક્કથી ભારે ચેતનવંતી કરી દે છે. પદોના ઢાળનું કાઠું, ઘણું ખરું, કોઈ ને કોઈ માત્રામેળ છંદનું બંધાયેલું હોય છે. નરસિંહના ઢાળો દોહરા, ચોપાઈ, હરિગીત, સવૈયા, ઝૂલણા, આદિની દેશીઓ છે. એમાં ઝૂલણાની દેશી એ એની માનીતી છે. તે રચનાઓ પ્રભાતી રાગમાં ગવાતી તેથી “પ્રભાતિયાં'ને નામે લોકપ્રિય થઈ છે. આ ઝૂલણાની દેશી અંગે કેશવરામ કા. શાસ્ત્રીએ એક તર્ક કર્યો છે. ૩૭ માત્રાનો ઝૂલણા અક્ષરમેળ રૂપમાં (ગાલગા ગાલગા, ગાલગા ગાલગા, ગાલગા ગાલગા ગાલગાગા) છે, છ, છ અને ચાર શ્રુતિની એમ કુલ ૨૨ શ્રુતિના ચાર ટુકડાઓનો થાય. મરાઠી ઓવી અને તેમાંથી વિકસેલો અભંગ છે, છ, છ, ચાર એમ ૨૨ શ્રુતિનો ચાર પંક્તિનો સંખ્યામેળ છંદ છે. તે શ્રુતિઓ લઘુગુરુ ગમે તે હોઈ શકે. એ પંક્તિઓ જો ઝૂલણાના અક્ષરમેળરૂપ (ગાલગાગાલગા, ગાલગાગાલગા ગાલગાગાલગા, ગાલગાગા) ની હોય, તો ૨૨ શ્રુતિના અભંગનું માપ ૨૨ શ્રુતિના અક્ષરમેળ ઝૂલણા જેવું જ બની આવે. દા.ત. “નામદેવગાથા'ના હજારો અભંગોમાં કોઈ કોઈ પંક્તિઓ અક્ષરમેળ ઝૂલણાની કે લગભગ એ રીતે ઉચ્ચારી શકાય એવી મળવાની : પાહિલિયા ક્ષણી નાસતી પાતર્ક, ઐસિયાસી તુકે દુજે કોણ... ભૂમિ તે રાહિલી વિષ્ણુ ચક્રાવરી, વૈકુંઠીચી પરી સર્વયેહૈં. (૩૯) પુંડલિકે તથા આણિ રંગણી, કટાવરી પાણિ ઠેલૂનિયાં. (૪૬૦) આટલા સામ્ય ઉપરથી કે. કા. શાસ્ત્રી તર્ક રજૂ કરે છે : “ઓવી અને અભંગના મૂળમાં ઝૂલણા જેવો છંદ હશે? આ અભંગમાંથી પછીના નરસિંહ મહેતાને ઝૂલણાના સામે ઝૂલણાબંધ સાધવાનું બની આવ્યું હશે? નરસિંહના નામની છાપ “ભણઉ નરસેં ને કે “ભણઈ નરસૈ અને “નરસિંઆચા સ્વામી' એનાં કાવ્યોમાં ઠેરઠેર મળે છે. નામદેવ પોતાના બધા અભંગોને છેડે મોટે ભાગે “નામ ફળ આપે છે. ઉપરાંત કેટલેક ઠેકાણે “નો સ્વામી સુરવી સારું', “નાણી સ્વામી રરિ મત્તે વિંત,' એમ “નાખ્યાવી સ્વામી’ પણ આપે છે. આનું સામ્ય નરસિંહમાં હશે? વળી હારસમેનાં પદોમાં “અવનીધરા “દામોદરા’ ‘દેવકીનંદના ‘વિશ્વનાથા' કેશવા”
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy