SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૪૧ ચાલિયો વાટમાં, જ્ઞાનીના ઘાટમાં, મિત્ર મોહનતણું નામ લેતો. ધન્ય એ નાર, અવતાર સફળ કર્યો, કૃષ્ણ હે કૃષ્ણ હે મુખ કહેતો. માગવું મૃત્યુ–પ્રમાણ છે પ્રાણીને, લોભ કીધો ત્યાંહાં પ્રીત તૂટે. કહ્યું મેં, અબલા, સુખે બેસી રહો, માગતાં તો બધો મર્મ છૂટે. - એમ કરતો એ દ્વારકા પ્રભુના નિવાસને દ્વાર આવી પહોંચ્યો. દ્વારપાળે દયા કરીને ખબર આપી. કૃષ્ણ સામેથી ચાલીને ભેટિયા', સુદામાને હેમસિંહાસને આગ્રહ કરીને બેસાડવા જતાં તાણતાં વિપ્રનાં વસ્ત્ર ફાટાં'. સારી રીતે નવડાવી, કનકની પાવડી ચરણ આગળ ધરી', “પુનિત પીતાંબર પહેરવા આપિયું અને જમાડી પલંગ પર સુવાડ્યો. છઠ્ઠા પદમાં “ભાગ્ય જોજો, બાઈ, કૃષ્ણભિક્ષક તણું – એમ રકમિણી આદિ આશ્ચર્ય અનુભવે છે. સુદામા આરામ કરી ઊઠ્યા પછી કૃષ્ણ સમાચાર પૂછે છે: બ્રહ્મચર્યાશ્રમમાં જ છો કે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો છે? મને મનમાં આપ્યો એ મારું મોટું ભાગ્ય. તમારી ખબર સરખી ન રાખી એ મારો દોષ. “કામિનીકેફમાં હું જ ડૂલ્યો.” પછી સાંદીપનિના આશ્રમમાં બંને રહેલા તેનાં સ્મરણો કાઢયાં: “વીસરી ગયું છે કે વીર તને સાંભરે?” ભાભીએ ભાવપૂર્વક જે ભેટ મોકલી હોય તે આપો, અમારે માટે બહુ મીઠી નીવડશે. “સંકોચતો ગાંઠડી, વિપ્ર આધી ધરે, નરસૈના સ્વામીએ નજરે દીઠી.” સાતમા પદમાં કૃષ્ણ બે મૂઠી તાંબૂલ પ્રેમે આરોગિયા ત્યારે રુક્મિણીએ એક રહ્યાં અમો, એક બીજા તમો કહી હાથ સહાયો ત્રીજી મૂઠી ભરતાં તેનું,. સુદામાને ન સમજાતું, રમણીય ચિત્ર છે. ઘેર જવા એ રજા માગે છે. એ જાણતો નથી પણ હવે “ભૂખના દુઃખની ભીડ ભાગી' છે. આઠમા પદમાં રસ્તો કાપતો સુદામા ‘ચિત્તમાં શોચી વિચાર કરતો : આપ્યું તો કંઈ નહીં.' : કામિનીકથને દ્વારકા ગયો તો ખરો, પણ બાલ ગોપાલ જે વાટ જોતાં હશે તેમને જોઈ અમો શુંય કહેશું? મિત્ર મોહન તણું હેત જ્યારે પૂછશે, કામનીને ઉત્તર કેમ દેશું? એમ ચિંતા કરે, નેત્રથી નીર ઝરે, કર્મની વાત મનમાંહી ધારી. નરસૈ નો નાથ તો અતિઘણો લોભિયો, પીતાંબરી પણ લીધી ઉતારી . આ માનવીભાવ ભક્તહૃદયમાં ડોકાઈ ગયો, પણ પછીના-છેલ્લા નવમા–પદમાં પાછી એની ઉપર ભક્તિની મૂળ પ્રકૃતિ સરસાઈ ભોગવે છે: ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી, દીન જાણી મને માને દીધું. બાળપણા તણો સ્નેહ નવ વીસરિયો, મિત્રમોહન તણી પ્રીત સાચી.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy