SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર Oue's confessionsની પેઠે નવી અને ભાવિ પ્રજાને તે ગ્રંથ પ્રેરણાત્મક અને બળપ્રેરક થઈ પડશે. ગુજરાતી ભાષા માટે મહાત્માએ જે સુંદર કાર્ય કર્યું છે, અને તે માટે મમત્વ પ્રજામાં ઉભું કર્યું છે; તે સેવા કાર્ય કદી ભૂલાશે નહિ. વળી એમના પુસ્તકને દેશ પરદેશમાં જુદી જુદી ભાષાઓમાં તરજુમા થાય એ, ખરે, ગુજરાતી ભાષા માટે ગૌરવભર્યું છે; જે કે મહાત્માજીના અસાધારણ વ્યક્તિત્વને અને પ્રભુતાને હિસે તેમાં થોડે નથી. આ યુગના ગાંધીજી જેવા બીજા સમર્થ પ્રજાકીય નેતાઓ, લેનિન અને ઝગુલ પાશાના જીવનચરિત્ર “અમર મહાજન' એ નામથી “સૌરાષ્ટ્ર કાર્યાલયે' બહાર પાડ્યાં છે અને એજ સંસ્થાનું દેશભક્ત–લાલાજી -લજપતરાયનું પુસ્તક મનનીય જણાશે. એજ કક્ષામાં મૂકી શકાય એવું બીજું હાનું પુસ્તક શ્રીયુત વલ્લભભાઈનું ચરિત્ર છે; અને તે ભાઈશ્રી મહાદેવભાઈએ એમની મોહક અને વિનોદભરી શિલીમાં આલેખ્યું છે. શ્રીયુત નારાયણ ઠકકુરના વીર વૈરાગી અને ગુરૂ ગોવિંદસિંહ એ નામનાં બે પુસ્તકો હિન્દુ જાતિનું ગૌરવ અને ખમીર દર્શાવનારાં તેમ તેમનામાં જુસ્સો આણનારાં છે. ધર્મગ્રંથમાં શ્રીયુત મશરૂવાળાના રામ અને કૃષ્ણ, બુદ્ધ અને મહા વીરનાં પુસ્તકો આદરણીય જણાશે; પણ જનતાને ધર્મ અને તત્વ- રા. જેઠાલાલના રસેશ શ્રીકૃષ્ણમાં વિશેષ આનંદ પડશે. જ્ઞાનનું સાહિત્ય તે એક ભક્તિપૂર્ણ અને બધપ્રદ પુસ્તક છે. તેમ ઈસ્લા મન પયગમ્બર, ચાર ઈશ્વરભક્ત, દિલોજાન દસ્ત, નવનાથ કથામૃત, સોરઠી સંત, સ્વામી ભાસ્કરાનંદજી, ભગવાન ચૈતન્ય દેવ, એ પુસ્તકો ભાવિકોને આકર્ષશે; અને વિદ્યાર્થી બંધુઓને શ્રીયુત નૃસિંહપ્રસાદ રચિત સુતપુત્ર કર્ણ અને શ્રીયુત પાઠકનું ભારતના ભડવીરો વાંચવાની ભલામણ કરી શકાય. પણ એક વિચારવા જેવો પ્રશ્ન એ થઈ પડયો છે કે આપણે અહિં આપણાં ધર્મશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાનને અભ્યાસ દિવસે દિવસે ઓછે થતો જો, બકે નાશ પામતો જાય છે. આપણી સંસ્કૃત પાઠશાળાઓ જ્યાં આગળ વ્યાકરણ, કાવ્ય, ન્યાય, વેદાંત વગેરે વિષયો શિખવાતા તે શિખનાર હવે કોઈક જ મળી આવશે; વસ્તુતઃ ક્રિયમાણ અને જ્યોતિષ, સંધ્યાદિ વિષયો લેનારા ઘણુંખરા મળી આવશે. આપણા વેદ, દર્શન, ઉપનિષદ્દ, પુરાણ વગેરે પ્રતિ દુર્લક્ષ થાય છે એમ સખેદ કહેવું જોઈએ. આ સ્થિતિમાં ગુજરાતી ૧૬
SR No.032060
Book TitleGranth Ane Granthkar Pustak 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhovandas Parekh
PublisherGujarat Varnacular Society
Publication Year1930
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy