SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના. ૩૨૧ અઢારમું દ્વાર અંતિમ આરાધના. અંતે એટલે આયુષ્યનો છેડો સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સંલેખના આદિ વિધિ સહિત આરાધના કરવી. એનો ભાવાર્થ એ છે કે તે પુરુષે અવશ્ય કરવા યોગ્ય કાર્યનો ભંગ થયે અને મૃત્યુ નજદીક આવવા છતાં પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરી’ વગેરે ગ્રંથોક્ત વચન છે, માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય જે પૂજા, પ્રતિક્રમણ વગેરે ક્રિયા, તે કરવાની શક્તિ ન હોય તો, અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે તો દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખના કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરવો તે દ્રવ્યસંલેખના અને ક્રોધાદિકષાયનો ત્યાગ કરવો તે ભાવસંલેખના છે. - કહ્યું છે કે :- શરીર સંલેખનાવાળું ન હોય તો મરણ વખતે સાત ધાતુનો એકદમ પ્રકોપ થવાથી જીવને આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું તારું આ (શરીર) વખાણતો નથી કે શરીર કેવું સારું છે ? તારી આંગળી ભાંગી કેમ? માટે હે જીવ ! તું ભાવસંલેખના કર. નજદીક આવેલ મૃત્યુ સ્વપ્ર શકુન તથા દેવતાના વચન વગેરેથી ધારવું. કહ્યું છે કે માઠાં સ્વપ્ર, પોતાની હંમેશની પ્રકૃતિમાં જુદી રીતનો ફેરફાર, માઠાં નિમિત્ત, અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું એટલાં કારણોથી પુરુષે પોતાનું મરણ નજદીક આવેલું જાણવું. આ રીતે સંલેખના કરી સકળ શ્રાવક ધર્મના ઉદ્યાપનને માટે જ જાણે ન હોય ? તેવી રીતે અંતકાળે પણ ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે જીવ શુભ પરિણામથી એક દિવસ પણ જો ચારિત્રને પ્રાપ્ત કરે. તો કદાચ જો મોક્ષને નહીં. તથાપિ વૈમાનિક દેવતા તો જરૂર થાય છે. નળ રાજાના ભાઈ કુબેરનો પુત્ર નવો પરણ્યો હતો તો પણ હવે “તારું આયુષ્ય પાંચ જ દિવસ છે” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ દીક્ષા લીધી અને છેવટે સિદ્ધપદને પામ્યો. હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પોતાનું આયુષ્ય નવ પહોર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને પહોંચ્યો. સંથારાને અવસરે, શ્રાવક દીક્ષા લે ત્યારે પ્રભાવના વગેરે માટે શક્તિ પ્રમાણે ધર્મમાં ધનનો વ્યય કરે. થરાદના આભૂ સંઘવીએ તે અવસરે (અંત વખતે) સાત ક્ષેત્રોમાં સાત ક્રોડ ધન વાપર્યું હતું. હવે અંતકાળે સંયમ લેવાનું જેનાથી ન બને તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ ચંડિલ ભૂમિને વિષે (જીવજંતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિ શ્રાવકોની માફક અનશન સ્વીકારે. કહ્યું છે કે તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે. દાનથી ઉત્તમ ભોગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે અને અનશન કરી મરણ પામવાથી ઇન્દ્રપણું પમાય છે. લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે હે અર્જુન ! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તો તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તો દસ હજાર વર્ષ સુધી, ઝંઝાપાત કરે તો સોળ હજાર વર્ષ
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy