SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ રાઈય પ્રતિક્રમણનો વિધિ. ૨૪૩ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ્ગ પારે તે પછી શ્રુતશુદ્ધિને માટે પુક્ષ્મરવરદી કહે. (૧૨-૧૩) પછી પચ્ચીશ ઉચ્છ્વાસનો કાઉસ્સગ્ગ કરે અને યથાવિધિ પારે. તે પછી સકળ શુભક્રિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માનો સ્તવ કહે. ૧૪. પછી શ્રુતસમૃદ્ધિ માટે શ્રુતદેવીનો કાઉસ્સગ્ગ કરે અને તેમાં નવકાર ચિંતવે તે પછી શ્રુતદેવીની શુઇ સાંભળે અથવા પોતે કહે. ૧૫. એ જ રીતે ક્ષેત્રદેવતાનો કાઉસ્સગ્ગ કરી તેની થઈ સાંભળે અથવા પોતે ક્લે પછી પંચમંગળ કહી, સંડાસા પ્રમાર્જીને નીચે બેસે. ૧૬. પછી પૂર્વોક્ત વિધિએ જ મુહપત્તિ પડિલેહી ગુરુને વંદણાં દેવાં. તે પછી “કૃચ્છામો અનુસર્ફિં’કહી ઢીંચણ ઉપર બેસવું. ગુરુસ્તુતિ કહી, “નમોસ્તુ વન્દ્વમાનાય' વગેરે ત્રણ થઈ ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમોત્થણું કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ગ કરવો. ૧૭-૧૮. આ રીતે દેવસી પ્રતિક્રમણનો વિધિ કહ્યો. રાઈય પ્રતિક્રમણનો વિધિ. રાઈય પ્રતિક્રમણવિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલો જ વિશેષ છે કે, પ્રથમ મિચ્છા મિ દુક્કડં દઈને પછી શક્રસ્તવ કહેવું. ૧૯. ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ગ કરે અને તેમાં લોગસ્સ ચિંતવે તથા દર્શનશુદ્ધિને માટે બીજો કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લોગસ્સ ચિંતવે ૨૦. ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે અને પછી સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જી બેસે. ૨૧. પૂર્વની જેમ મુહપત્તિની પડિલેહણા, વંદના તથા લોગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું તે પછી વંદના ખામણા પછી વંદના કરી થુઈની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ગ કરવો. ૨૨. તે કાઉસ્સગ્ગમાં આ રીતે ચિંતવે કે “જેથી મારા સંયમયોગની હાનિ ન થાય તે તપસ્યાને હું અંગીકાર કરું પહેલાં છમાસી તપ કરવાની તો મારામાં શક્તિ નથી. ૨૩. છમાસીમાં એક દિવસ ઓછો, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીશ દિવસ ઓછા કરીએ તો પણ તેટલી તપસ્યા કરવાની મારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચોમાસી, ત્રિમાસી, બેમાસી તથા એક માસખમણ પણ કરવાની મારામાં શક્તિ નથી. ૨૪. માસખમણમાં તેર ઊણા કરીએ ત્યાં સુધી તથા સોળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ ઓછા કરતાં ઠેઠ ચોથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મારામાં શક્તિ નથી. એમ જ આંબિલ આદિ, પોરિસિ અને નવકારસી સુધી ચિંતવવું. ૨૫. ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી. અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણાં દઈ તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચક્ખાણ લેવું. ૨૬. પછી ફચ્છામો અનુદુિં કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ શુઈનો પાઠ કહે તે પછી નમોસ્થુળ વગરે કહી ચૈત્યવંદન કરવું. ૨૭. પક્ષિ પ્રતિક્રમણનો વિધિ. હવે ચૌદશે કરવાનું પિક્ખ પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલાં અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી પ્રતિક્રમણ કરી પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી રીતે કરવું. ૨૮
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy