SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રાદ્ધવિધિ પ્રકરણ - પ્રથમ પ્રકાશ અજ્ઞાનથી કર્મક્ષય થાય તેમાં ભવપરંપરા વધી જાય છે અને સમ્યજ્ઞાન સહિત ક્રિયા તો મંડુકના ચૂર્ણની રાખ સરખી છે (એટલે તેનાથી પાછી ભવની પરંપરાની વૃદ્ધિ થઈ શકતી નથી.) જેટલાં કર્મ ઘણા ક્રોડો વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં (કર્મ) મન-વચનકાયાની ગુદ્ધિવાળો જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિ તાપસ વગેરેને ઘણો તપ-લેશ કરતાં પણ ઈશાનેન્દ્ર અને ચમરેન્દ્રપણા રૂપ અલ્પફળની જ પ્રાપ્તિ થઈ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમÉકાચાર્યની જેમ સમ્મક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. તેનાં દૃષ્ટાંતો નીચે મુજબ જાણવાં. તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે “મેં સુખભવ ખુબ ખુબ ભોગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ? તે સવારે ઘરનો ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઈઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંલેખના કરી. મૃત્યુ પામી ઇશાનેન્દ્ર થયો. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે તપ સમ્યકત્વપૂર્વક કર્યું હોત તો અવશ્ય મુક્તિ પામત. વિભેલસંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતો હતો. તે ઋદ્ધિવંત અને પુત્રપરિવારથી પરિવર્યો હતો. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે “મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યા છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.” સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી આતાપના લેવા માંડી. તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પડેલું મુસાફરને આપે છે, બીજામાં પડેલું કુતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં પડેલું પોતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી સાંઈઠ દિવસના ઉપવાસના અંતે મૃત્યુ પામી ચમચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે. આ ચમરેન્દ્ર પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પોતાથી અધિક ઋદ્ધિ વૈભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવલંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે “સૌધર્મેન્દ્ર ક્યાં છે?' તેજ વખતે સૌધર્મેન્દ્ર વજ મૂક્યું. વજ દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ “હે ભગવંત તમે મારું શરણ” એમ બોલતો તેમના બે પગની અંદર ભરાઈ ગયો. ઇન્દ્ર તુર્ત ઉપયોગ મુકી વજને પાછું ખેંચી લીધું અને ચમરેન્દ્રને કહ્યું કે “આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારો ભય રાખવાની જરૂર નથી.” પછી બન્ને ઇન્દ્રો ભગવાનને વંદના કરી સ્વસ્થાને ગયા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વિજયસેનસૂરિના શિષ્ય રાત્રે સ્વપ્રમાં પાંચસો હાથીથી યુક્ત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વમું ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે, “કોઈ અભવ્ય ગુરૂ પાંચસો સારા શિષ્યો સહિત આવશે. તે પછી રૂદ્રાચાર્ય પાંચસો શિષ્યો સહિત આવ્યા. વિજયસેનસૂરિએ તેમની વૈયાવચ્ચે ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુ નીતિએ જતાં પગથી ચમચમ શબ્દ થતાં રુદ્રાચાર્યના શિષ્યો કોલસાને નહિ જાણવાથી અને જીવ છે તેવી બુદ્ધિથી પશ્ચાત્તાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પોતે લઘુનીતિ માટે ઉક્યા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળ્યો, તેમને દયા ન આવી અને બોલી ઉઠ્યા કે, “અહો ! આ અરિહંતના
SR No.032040
Book TitleShraddhvidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay Gani
PublisherBhadrankar Prakashan
Publication Year1998
Total Pages394
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy