SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ દેવતાએ કહ્યું કે હે રાજન્ ! આ જળને મહિમા-ઈતિહાસ તમેને કર્ણને પ્રિય અને ચમત્કારભર્યો હું સંક્ષેપમાં સંભબાવું છું. એક ચિત્તથી સાવધાન થઈને શ્રવણ કરે! હે રાજા ! ઘણા સમય પહેલાં રાવણના સેવકે ખરદૂષણ સેવકેએ અર્ચના એક પાર્શ્વનાથ ભગવાનની શ્યામવર્ણી અને પ્રશાંતરસ નીતરતી પ્રતિમા બનાવી હતી. જે પ્રતિમા ખર-દૂષણે અર્ચન કરીને સ્વ-વિદ્યાસિદ્ધિથી વાકાય બનાવી અને રક્ષણાર્થ, આશાતનાને ટાળવા આ જળાશય છે તેમાં મધ્ય ભાગના ફૂપમાં પધરાવી હતી જેને આજે લાખે વર્ષ વ્યતીત થઈ ગયા. પણ એ મૂર્તિના પ્રબલ-પ્રભાવથી આ જળાશયનું જળ ચમત્કારી રહે છે. જલના સ્પર્શમાત્રથી ભયંકર વ્યાધિઓ નહીવત્ થઈ જાય છે. - શ્રીપાલ મહારાજા દેવેન્દ્ર વાણું શ્રવણ કરીને ઘણું જ હર્ષિત થયા. સ્વકૃત નિશ્ચય સિદ્ધ થયેલ લેવાથી માંચિત થયા અને દેવને કહ્યું કે એ મૂર્તિના મને દર્શન કરાવે અને મૂર્તિ મને અર્પણ કરે એવી નમ્ર પ્રાર્થના કરી પણ દેવે કંઈ પણ જવાબ ન આપ્યું અને અદ્રશ્ય થઈ ગયા. પુનઃ શ્રીપાલ રાજાને તીવ્ર કામના જાગી કે એ પ્રભુના દર્શન કરવા જ જોઈએ. એ ભવ્ય લાખ વર્ષની પુરાણી મૂર્તિની પ્રાપ્તિ કરવી જ જોઈએ. રાજાએ તપશ્ચર્યા ચાલુ રાખી, આસન પણ દ્રઢ જમાવ્યું અને ધ્યાન પણ એકતાન થઈને શરૂ કર્યું. એકાગ્રતાને કરંટ પુનઃ દેવને સ્પર્યો અને પ્રત્યક્ષ થઈને શ્રી ધરણેન્દ્રદેવે જણાવ્યું
SR No.032034
Book TitleAntariksh Tirth Mahatmya
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvantilaksuri, Bhadrankarvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year1965
Total Pages222
LanguageHindi, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy