SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) મારે પૈડપણ થયું એટલે કાંઈ થતું નથી. એવું બોલે એટલે પછી તેવું થઈ જાય. તે અત્યારે પૈડપણમાં તેને ભાન નથી ને બોલે છે. એના મનમાં એમ કે આપણી કિંમત વધીને ! પૈડપણ છે ને ! પછી આગળ વાંચો. હિંસક પ્રાણી સામે “હું અમૂર્ત છું' બોલતા થવાય “અદશ્ય' પ્રશ્નકર્તા: કોઈવાર ભયનો એવો પ્રસંગ આવી જાય. લૂંટારા મળી જાય રસ્તામાં ને સામે કાંઈ સૂઝે નહીં, એ વખતે ભયની આમ વ્યાધિ લાગ્યા કરે. ક્યારેક માનસિક એવું થાય ત્યારે કહે કે હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું, હું અવ્યાબાધ સ્વરૂપ છું તો ભયની સંજ્ઞાઓ બધી નીકળી જાય. કોઈવાર જંગલમાં જવાનું થાય કે હિંસક જનાવર સામે મળી જાય એ વખતે હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, હું અમૂર્ત છું, જોરથી બોલીએ તો એને આપણે દેખાઈએ જ નહીં. દાદાશ્રી : એ સો વખત અમૂર્ત બોલોને તો વાઘ આપણને જોઈ શકે નહીં. એને આપણી મૂર્તિ જ દેખાય જ નહીં એટલું બધું આ વિજ્ઞાન છે. વાઘ સામો મળ્યો હોય ને આપણે અમૂર્ત-અમૂર્ત પાંચ-પચાસ-સોવાર બોલી ગયા. તો એને આપણી મૂર્તિ દેખાય જ નહીં. પછી મારે કોને ? એ બધું સાયન્સ છે આ તો. ડિપ્રેશન આવે તો બોલો, “હું અગુરુલઘુ સ્વભાવવાળો છું' પ્રશ્નકર્તા: કોઈવાર શોક વ્યાપી જાય, હતાશા થઈ જાય એકદમ આમ, નિરાશા થઈ જાય, ગડમથલ થવા માંડે, એ વખતે અગુરુલઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુલઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું, હું અગુરુ લઘુ સ્વભાવવાળો એવો શુદ્ધાત્મા છું” કહેવું. દાદાશ્રી : જો તમને મનમાં બહુ વિચાર આવતા હોયને અને મન ખૂબ જ, ગૂંચાયા કરતું હોય ત્યાં હું અગુરુલઘુ સ્વભાવવાળો છું એવો મહીં જાપ ચાલુ કર્યો અને એક ગુંઠાણું કરો તો મહીં પાર વગરનું સુખ વર્તે. અગુરુલઘુ સ્વભાવ કહે એટલે સમતુલા આવી ગઈ. છોને મહીં વિચાર બંધ થઈ જાય. બધાને ચૂપ જ થઈ જવું પડે. ડિપ્રેશન આવે તો
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy