SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) સિદ્ધ સ્તુતિ ‘હું અગુરુ-લઘુ સ્વભાવવાળો છું' તેમ બોલો એટલે સાફ. સાયન્સ છે આ તો. એવું છે ને કે આ બટન દબાવવાથી આ પંખો ચાલે. એ બટનને બદલે બીજું દબાવીએ ત્યારે ઘંટી ચાલુ થઈ જાય. માટે આપણે બટનો સમજી લેવાના છે બધાય. પછી આગળ શું કહે છે ? લોભ-લાલચના પ્રસંગે બોલવું, ‘હું અનંત ઐશ્વર્યવાળો છું' ૩૫૫ પ્રશ્નકર્તા : પછી કોઈવાર લોભની ગાંઠ ફૂટે, લાલચના પ્રસંગ આવવા માંડે એવા વખતે ‘હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું, હું અનંત ઐશ્વર્યવાળો છું.' એ બોલવાથી એ બધા (લોભના) પરમાણુઓ ખરતા જાય. એની અસર ના થાય. દાદાશ્રી : પછી... ? પ્રશ્નકર્તા ઃ પછી કોઈવાર બહુ વધારે પડતા ફાલતુ વિચારો કે એવા આવવા માંડે કંઈ, મગજ તર (ભારે) થઈ જાય, કંઈ સૂઝ ના પડે, બહુ જ વિચારો એવા આવ્યા કરે ત્યારે ‘હું નિર્વિચારી છું, હું નિર્વિચારી છું, નિર્વિચારી છું, નિર્વિચારી છું' એમ બોલવાથી એ બધા ઊડી જાય બધા. સિદ્ધ સ્તુતિ દૂર કરે, પુદ્ગલતી હુકુમત દાદાશ્રી : આવો અભ્યાસ કરેલો નહીં, નહીં ? પ્રશ્નકર્તા : આ બધી આવી સૂઝ ક્યાં પડી હોય, દાદા ? સૂઝ ના પડી હોયને આવી બધી. દાદાશ્રી : મહીં જૂના મહાત્મા હોયને, તે બધા કરી ગયેલા આ. આ તો નવા મહાત્મા આવે છે તે રહી જાય છે. કો’ક કહેશે, ‘ભઈ, આખો દહાડો શું પુસ્તક વાંચવા ?” તે આખો દહાડો આ પોતાના ગુણધામનું વર્ણન કર્યા કરવાનું છે. કૃપાળુદેવે જે કહ્યું છે એ બધું જ વર્ણન આવી ગયું છે મહીં. હવે એ સમજો તો ને ! બાળકના હાથમાં રાજની લગામ આપે પણ હવે સમજવા તો પ્રયત્ન કરવો જોઈએને ! તો રાજ ટકે. નહીં તોય રાજ કોઈ
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy