SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭.૨) અનુભવગમ્ય ૩૪૫ દાદાશ્રી : બસ, એ જ, એ જ. પ્રશ્નકર્તા જે પલટો થતો જાય, જે પોઝિટિવ થતો જાય.... દાદાશ્રી: પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં આ બધા લોક છે ને પણ પોતાના દોષ (કોઈને) ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે, જ્યારે અહીં તો પોતાના દોષો દેખાય. પ્રશ્નકર્તા: હા, પોતાના દોષ દેખાય ! દાદાશ્રી : બધું દેખાય, બધું. પ્રશ્નકર્તા પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને ? દાદાશ્રી : બધું પોતાને ખબર પડી જાય, પોતાને ખ્યાલ આવી જાય એ જ આત્મા. અનુભવ વધતા થશે જ્ઞાતાત્મા હજુ આ આત્મા, દર્શનાત્મા કહેવાય છે, પછી જ્ઞાનાત્મા થશે ધીમે ધીમે. જેમ અનુભવ વધશેને, તેમ જ્ઞાનાત્મા થશે. પ્રશ્નકર્તા: એ બરાબર છે, દાદા. એ તો અનુભવ થયો છે કે ગુસ્સો આવવાનો હોય તો તરત જ ખ્યાલ આવે છે, જાગૃતિ આવી જાય છે. દાદાશ્રી : હા, તરત જ આવી જાય. આ જગતમાં જ્ઞાન ના હોયને, તો એને પોતાને ભૂલ દેખાય નહીં કોઈ દહાડોય. (એ પોતે) આંધળો હોય અને જ્ઞાનવાળાને બધી ભૂલો દેખાય. પ્રશ્નકર્તા : જ્ઞાનવાળાને પોતાની ભૂલો દેખાય. દાદાશ્રી : બધી બહુ દેખાય. ઓહો.. રોજ સો-સો ભૂલો દેખાય. પહેલા આત્માનુભવ વર્તે, પછી ખપે પુદ્ગલ પ્રશ્નકર્તા: આ પવન દેખાતો નથી પણ તેની લહેર આવે છે ને
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy