________________ પૂજ્યશ્રીના “કર્મતણી ગતિ ન્યારી...” વિષયક વ્યાખ્યાનની પુસ્તિકા તે જ રવિવારે તાત્કાલિક મુંબઈ પહોંચતી હતી એટલું જ નહીં.. પરંતુ અમે ગૌરવ છે એ વાતને લઈએ છીએ કે આ પુસ્તિકાઓ અમેરિકા-આફ્રિકા વગેરે પરદેશની ધરતી ઉપર પણ પહોંચી ગઈ છે. સૂરત તથા મુંબઈ, અમદાવાદ, વલસાડ, મદ્રાસ, કલકત્તા... આદિ અનેક શહેરોમાં તેમ જ પૂજ્ય સાધુ-સાધ્વીઓમાં પણ ચારે તરફ આ પુસ્તિકાઓ પહોંચી છે એ જ આની ચાહના અને પ્રસિદ્ધિ પ્રગટ કરે છે. - પૂ. હરીશભદ્રવિજ્યજી મ. દ્વારા પ્રકાશિત સચિત્ર નવતત્વ પુસ્તિકામાંથી કેટલાક ચિત્રો લીધા તે માટે તેમને ઉપકાર. અંતમાં “ર્મતણી ગતિ ન્યારી " સચિત્ર જાહેર વ્યાખ્યાનમાલાની સંકલિત પુસ્તિકા કર્મનું ગહન સ્વરૂપ સમજાવવામાં ઉપયોગી નીવડે. કર્મનું સ્વરૂપ સમજી ભવીરૂ–પાપભીરૂ બની સર્વ જીવે કર્મક્ષય-નિર્જરાને માર્ગ સ્વીકારે, ધર્મ પંથે વળે તે આ પુસ્તિકા પ્રકાશિત કરવાને અમારે આ નાને પ્રવાસ સફળ નીવડશે. એ જ અંતરેચ્છા આ સુદ 10, દશહરા વિજયાદશમી, સં. 2038 તા. 27-10-1982. પ્રાર્થના સમાજ, મુંબઈ. શ્રી મહાવીર વિદ્યાથી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટી મંડળ