________________ 438 दंड कस सत्थ रज्जू अग्गी उदगपडणं विस वाला / सीउण्हं अरइ भय खुहापिवासा य वाही य // मुत्तपुरीसनिरोंहे जिण्णाजिण्णे य भोयणे बहुसो / घसण घोलण पीलण आउस्स उवक्कमा एते // આ ઉપરાંત આવશ્યક નિર્યુક્તિમાં લાકડી, ચાબૂક, શસ્ત્ર, દોરડું, આગ, પાણીમાં પડવું, ઝેર, સાપ, ઠંડી, ગરમી, અરતિ, બીક, ભૂખ, તરસ, રોગ, મલ-મૂત્ર કવાથી, બહુશ: જીર્ણઅજીણું ભેજન, ઘર્ષણ, ઘાલન અને પીલન એ આયુષ્યના ઉપકમે કહ્યા છે. આવા અનેક ઉપક્રમે છે, જેના નિમિત્તે આયુષ્ય વહેલું તૂટી શકે છે. ભયના કારણે રોમિલ મૃત્યુ પામ્ય શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ગજસુકમાલે દીક્ષા લીધી, ત્યારે તેના સસરા સેમિલ બ્રાહ્મણે પિતાની પુત્રીને વિચાર કરીને ઇંધમાં ને કૈધમાં ગજસુકુમાલ મુનિ જ્યારે સ્મશાનમાં કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર હતા ત્યારે આવીને તેમના માથા ઉપર ધગધગતા અંગારા ભરી દીધા. તેથી સમતામાં રહેલા મુનિ તે સાધી ગયા, પરંતુ મિલ સસરે જ્યારે આ દુષ્કૃત્ય કરીને જ્યારે નગરમાં પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણ મહારાજાને સામે આવતા જોયા. શ્રીકૃષ્ણને જોતાંની સાથે જ સોમિલને ભય વ્યાપી ગયે અને તે તુરંત ત્યાં જ મૃત્યુ પામ્યા. આ છે–ભય-અધ્યવસાય ભેદથી તાત્કાલિક થતું મૃત્યુ. * મૃગાવતીને સ્વામી શતાનિક રાજા હતે. એકાએક ચંડપ્રદ્યોત નામના રાજાને સૈન્ય સહિત આવતા સાંભળતાંની સાથે જ હૃદય ફાટી ગયું, ભારે ભય વ્યાપી ગયે, અને ત્યાં જ મરણને શરણ થયા.