SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ' 390 મનુષ્યગતિ << 1 2 -- દેવગતિ તિર્યંચગતિ* 4 _| | >> નરકગતિ છે આ ચાર ગતિમાં વહેંચાયેલા છે. તે જીવ ગતિ પ્રમાણે આયુષ્ય બાંધે છે. તે તે ગતિમાં તે તે શરીરમાં રહેવાને કાળ વિશેષ-તે આયુષ્ય. જેના વડે જીવ વિવક્ષિતભવમાં અમુક કાળ પર્યન્ત ટકી શકે છે તે “આયુષ્ય” કહેવાય છે. અથવા વિવક્ષિતભવમાં જેટલા કાળ સુધી જીવ રહે તે “આયુષ્યને કાળ' કહેવાય છે. આયુષ્યકમ-સંસારમાં જ અનંતા છે. અનંતા જીના જન્મ-મરણ સંસારમાં સતત ચાલ્યા જ કરે છે. જ્યાં જન્મ-મરણ સતત ચાલે તેનું જ નામ સંસાર અને જ્યાં જન્મમરણ નથી તેનું નામ છે મેક્ષ. મુક્ત થયા પછી આત્માને ફરીથી જન્મ લેવો નથી પડતે, પાછું સંસારમાં આવવું જ નથી પડતું. પુનરાવૃત્તિ” મેક્ષને અર્થ એ થયો કે આત્માએ આ જન્મમરણની જંજાળમાંથી પણ સદાના માટે છૂટવું જોઈએ. અને જ્યાં સુધી નથી છૂટ્યા ત્યાં સુધી સંસારમાં જ છીએ, માટે જ જન્મ-મરણને કમ સતત ચાલુ છે. સંસાર આપણને નથી છેડવાને, આપણે જ સંસાર છોડ પડશે. ભૂતકાળમાં અનંતા જન્મ જીવે કર્યા, અને સંસારમાં અનંતીવાર મર્યા પણ ખરા. શું હજી સુધી આ જન્મ-મરણના ચકથી કંટાળો આવ્યો છે કે નહીં? ઘરમાં રોજ એકની એક વસ્તુ રોટલી ખાવી પડે તે પણ કંટાળો આવે છે? પરંતુ એ કંટાળે ખાવાને છે કે રોટલીને છે? ખાવાને નથી, વસ્તુને છે, જેટલી છે. હવે જે વસ્તુની વાનગી ફેરવીને આપવામાં આવે તે ચાલે એમ છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy