SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 315 અડગ ધર્મશ્રદ્ધામાં સ્થિર રહેલી સુલસાની પરીક્ષા તે અંબડ પરિવ્રાજકે પણ ખૂબ કરી છતાં પણ સુલસા ચલિત ન થઈ આ જ સુલસા શ્રાવિકાએ દઢશ્રદ્ધાના બળે સર્વ જીવરાશિના કલ્યાણની ભાવનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. અને આવતી વીશીમાં તે તીર્થકર બનવાની. પરમાત્મા મહાવીરના કાળમાં એવા તે નવ પુણ્યાત્માઓએ તીર્થકર નામકર્મ બાંધ્યું છે, જે આગામી વીશીમાં તીર્થકર બનશે. * મહારાજા શ્રેણિકે પણ સમ્યફશ્રદ્ધાના બળે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું છે. તેઓ પણ આગામી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી “પદ્મનાભસ્વામી” તરીકે થશે. # મહારાજા શ્રીકૃષ્ણ પણ તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે. અને આવતી વીશીમાં તેઓ બારમા “અમમસ્વામી તીર્થકર થઈને મોક્ષે જશે. આ ધન સાર્થવાહના ભવમાં બેધિબીજ પામી, અગ્યારમા ભવમાં તીર્થકર નામકર્મ નિકાચિત કરી તેરમા ભવે શ્રી બાષભદેવ’ ભગવાન થયા. * મરભૂતિના ભવમાં બેલિબીજ પામી, આઠમા ચક્રવર્તીના ભવમાં તીર્થકર નામકર્મ બાંધી દશમા ભવે તે “પાર્શ્વનાથ ભગવાન બન્યા. 180645 માસક્ષમણ પરમાત્મા મહાવીર પ્રભુ નયસારના પ્રથમભવે જંગલમાં મુનિ મહાત્માને પડિલાભી બધિબીજ પામ્યા. અને ક્રમશઃ વિકાસની દિશા સાધી. પચ્ચીસમે ભવ નંદન રાજર્ષિ તરીકે થ. 25 લાખ વર્ષનું આયુષ્ય અને તેમાં પણ 24 લાખ વર્ષ તે સંસારમાં ચાલ્યાં ગયાં. શેષ 1 લાખ વર્ષ રહેતા દીક્ષા અંગીકાર કરી માસક્ષમણના પારણે માસક્ષમણની ઉગ્ર તપશ્ચર્યા
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy