SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ 263 આપણે પણ મરીએ છીએ પરંતુ મર્યા પછી તુરત પાછા જનમવાના. અને જનમ્યા એટલે ફરીથી નવું શરીર ધારણ કરવું, એક શરીર છોડીને બીજા શરીરમાં જવું. અનન્ત જન્મ-મરણ સંસાર અનાદિ-અનન્ત છે. આ સંસારમાં જીવ અનન્તીવાર જમ્ય અને અનન્તીવાર મયે. અનન્તાં શરીરે આપણે ધારણ કર્યા અને અનન્તીવાર શરીર છોડીને ગયા. અનન્તા શરીરે બાળી નાખ્યાં... પરંતુ હજી પણ જીવ શરીરરહિત અશરીરી નથી બન્યા. દરેક ભવમાં જઈએ છીએ અને ફરીથી નવું શરીર ધારણ કરવાનું.. આ બધું કણ કરાવે છે? કેવી રીતે બને છે? શરીરની રચના કેણ કરી આપે છે? શું કઈ ઉપરવાલી શકિત છે? શું શરીર ઈશ્વરે બનાવ્યું છે? શું આ શરીર રેડીમેડ તૈયાર મળ્યું છે? અદ્દભુત શરીર-યંત્રની અજાયબી "The Seven wonders of the world."-52914 છે કે સંસારમાં સાત આશ્ચર્ય છે. કેઈ “તાજમહલ”ને આશ્ચર્ય ગણે છે. અરે! રાણકપુર જેવું હોય તે તેની કારીગરી અને રચનાની સામે તાજમહલ તે કંઈ જ નથી. પણ પ્રસિદ્ધિ તાજની થઈ ગઈ છે. પરંતુ હવે લેકે સમજ્યા છે. તાજને જોયા પછી જ્યારે રાણકપુર જવાય છે ત્યારે ભલભલાની અક્કલ કામ નથી કરતી ! અરે, આ કેવી અદ્ભુત રચના છે..! પરંતુ તાજ જુએ કે કદાચ રાણકપુર જુઓ...પણ બધા કરતાં અદ્ભુત રચના તે આ શરીર તંત્રની છે. આશ્ચર્યકારી રચના છે. આ શરીરતંત્રની રચના જતાં અક્કલ કામ નથી કરતી ! કેવી અજબ રચના છે! 1 થી 2 ઈંચની આંખમાં તે કેટલી ખૂબી ભરી છે. એક વેંતની પરીમાં તે કેટલી ગજબની શક્તિ ભરી છે-કેટલી નાનકડી જગ્યામાં Sound
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy