SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ 253 વિરે સાળવી શ્રી કૃષ્ણની સાથે અઢાર હજાર સાધુઓને વંદન કરવા સાથે જોડાયે. પરંતુ વીર્યાન્તરાય કર્મના ઉદયે થાકી ગયા. બધાને વંદન ન કરી શક્યા.. વાસુદેવ, ચકવતી, ઈન્દ્ર, બળદેવ જેવા અતુલ બળવાળા પરાક્રમી પણ આ કર્મના ઉદયે આગામી જન્મમાં નિર્બળ કુળમાં જન્મે છે. 500 મુનિઓની અદ્ભુત સેવા-વૈયાવચ્ચ-ભક્તિ કરવાથી વીર્યાન્તરામ કર્મને ક્ષપશમ કરતા બાહુબલી અતુલ બળ પામ્યા. હાથમાં જ (બાહુમાં) બળ કેવું, કે એક મુઠ્ઠી મારે તે ચૂરેચૂરા થઈ જાય. એવા બળવાન કે જેને ચકવતી પણ જીતી શકતા નથી. આ જ વીર્યાત્રામના ક્ષપશમે વાલીકુમાર જે એવું ગજબનું બળ પામ્યા કે જેને રાવણ જેવા પ્રતિવાસુદેવને પણ કાખમાં ઘાલી સમુદ્રની ચારે તરફ ફેર ફરીને પાછા લાવ્યા. અને પછી છે. આવી ગજબની શક્તિ પણ પ્રાપ્ત થાય છે. ધમરાધનામાં પ્રતિકમણ-ક્રિયામાં, તપશ્ચર્યા વગેરેમાં દાનાદિમાં લક્ષ્મીને સદ્વ્યય કરવામાં જે ઉત્સાહપૂર્વક તન-મનધનની શક્તિ ફેરવવાથી આ કર્મની પ્રકૃતિઓને ક્ષય થાય છે. નવું કર્મ બંધાતું નથી. અને જે છતી શક્તિએ તપ ન કર્યું, યથાશક્તિ દાનાદિ ન આપ્યા. છતી શકિત ગેપવી ... વગેરે કારણોથી ફરી આ કર્મ બંધાય છે. સર્વ પ્રકારની ધર્મારાધના–ઉત્સાહ, ઉલ્લાસ અને શક્તિ ફેરવીને કરવામાં આવતાં આ અંતરાયકર્મને ખપાવી શકાય છે. આ જ વી કે જેને કાર કરીને
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy