SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 250 : જ્યારે અઢળક ધનસંપત્તિ આપીને અરિદમન રાજકુમાર સાથે રાજાએ સુરસુંદરીને વળાવી. સાસરે જવા વિદાય આપી. ગામની બહાર જે મધ્યરાત્રીએ ચેરેએ લુંટ્યા...બધી સંપત્તિપૈસે લઈ ગયા. અને અરિદમન રાજકુમાર તે ભાગી ગયે. અંતે એકલી પડેલી સુરસુંદરીને ચેરે નેપાળ લઈ ગયા અને ત્યાં ભર બજારમાં વેચી દીધી. એક વેશ્યાએ ખરીદી લીધી. નૃત્યકલા શીખવાડી નટડી બનાવી. રાજાને નટમંડળીમાં નાટક કરવા ત્યાં નટી તરીકે રહી.. અને શ્રીપાળ-મયણે ત્યાં આવતાં આ નટમંડળી નાટક કરી મને રંજન કરવા લાગી. ત્યારે પિતાની બહેન મયને ઓળખી ને સુરસુંદરી ગાવા લાગી— ક્યાં માળવ, ક્યાં શંખપુર, ક્યાં બબર કહ્યાં નટ? સુરસુંદરી નચાવીને, દેવે દળ્યો વિમરટ છે આ સાંભળીને મયણું સમજી ગઈ નાટક બંધ કરાવીને આવીને બહેનને ભેટી પડી.. સામસામે આજે વર્ષો પછી મળ્યાં. પિતા રાજાએ જેને દુઃખી કરવા ધાર્યું હતું તે તે અધિક ઘણું સુખી થઈ અને જેને અઢળક ધન આપી સુખી કરવા ધાર્યું હતું તે તે અત્યંત દુઃખી થઈઆ છે કર્મ તણી ગતિ ન્યારી.” એક રાજાની દીકરી રાજકુમારીને પણ બજારમાં વેચાવું પડયું, વેશ્યાને ત્યાં રહી, નટી થઈ, નાચીને પેટ ભરવું પડયું. બાવીશ વરસ વિગે રહેતી, પવનપ્રિયા સતી અંજના રે..” જિનરાજ જિનપૂજામાં અંતરાય કરતાં બાંધેલું કમ– ધનવાન શ્રીમંત શેઠની બે પત્નીઓ હતી. એક મિથ્યાદષ્ટિ અને બીજી , સમ્યગદષ્ટિ. સમકિતી જિનધર્મમાં શ્રદ્ધાવાળી સપત્ની જિનદ્રપૂજા-ભક્તિ જ કરતી. અને આ પિલીને ન ગમતી. બસ, એટલે ઈર્ષ્યા-દ્વેષ વધવા માંડ્યો. એક દિવસે પહેલી પત્નીએ બીજીની જિનમૂર્તિને જ સંતાડી દીધી અને તેના ઉપર
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy