SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 173 પ્રશ્ન–તે પછી જેના ભગવાને જ કહેલું માનવામાં સમ્યત્વ કેમ? દરેક ધર્મોના દરેક ભગવાને કહેલું સમ્યકૃત્વ કેમ નહીં? સત્ય એ કેઈની માલિકીની વસ્તુ નથી. સત્ય પક્ષપાતી પણ નથી હેતું સત્ય માટે એવું પણ નથી કે એક જણ કહે તે જ એ સત્ય સત્ય કહેવાય કે મનાય-અને બીજે કહે તે એ અસત્ય થઈ જશે એવું પણ નથી. સત્ય એ તે શાશ્વત છે. સત્ય ત્રણે કાળમાં બદલાતું નથી. પછી એને કઈ પણ કહે. પરંતુ વાસ્તવિક યથાર્થ યથાતથ્ય સત્યસ્વરૂપ જણાવનાર જે કઈ હોય તે તે વીતરાગ એવા સર્વજ્ઞ અરિહંત પરમાત્મા જ છે. જે સ્વયં અનંત ધર્માત્મક વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવલજ્ઞાન વડે જાણે છે તે જ જણાવી શકશે. ન જાણનાર ક્યાંથી જણાવે ? અને જાણેલું જણાવવા માટે વીતરાગતાની પરમ આવશ્યક્તા હોય છે. વીતરાગી પરમાત્માને અસત્ય કહેવાનું કેઈ કારણ જ નથી. ખોટું બોલવાનાં કારણે સંસારમાં ખોટું બોલનારા ઘણું છે, અને સત્ય બોલનાર બહુ ઓછા છે, પણ વિચાર કરીએ કે ખોટું બોલવું સહેલું છે કે સાચું બોલવું? સાચું બોલવું સહજ છે, સરળ છે; જ્યારે બેટું બોલવું બહુ મુશ્કેલ છે. ઘણે વિચાર કરીને, ગોઠવી કરીને પછી જ બોલાય છે. સત્ય સહજભાવે નિર્દોષતાથી બેલાઈ જાય છે. સત્ય બોલવામાં કઈ કારણ શોધવા જવું નથી પડતું, જ્યારે ખે હું બોલવા માટે ઘણું કારણ છે. ક્રોધથી, લેભથી, ભયથી, અને હાસ્યથી આ ચાર તે મુખ્ય કારણે છે. સાથે સાથે માનમાયા, રાગ-દ્વેષાદિ અનેક કારણે છે. પરમાત્મા વીતરાગ બન્યા એટલે એમાંનું એક કારણ હવે હાજર નથી. વીતરાગ એટલે જ રાગ-દ્વેષ વગરનાં રાગ અને દ્વેષના જ પેટા વિભાગમાં ક્રોધ, માન, માયા અને લેભ ગણાય છે. એટલે વીતરાગ–એવા સર્વજ્ઞ પરમાત્મા માટે અસત્ય
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy