SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 154 વહેલા સૂવે અને વહેલા ઊઠે તે વીર, બળ-બુદ્ધિ ધન વધે ને સુખમાં રહે શરીર. પરંતુ બદલાતા યુગમાં આ કહેવત પણ બદલાઈ ગઈ છે અને વિપરીત અર્થને પામી ગઈ છે. થીદી (સત્યાનદી) નિદ્રા - એક શેઠના પુત્રવધૂને થીણુદ્ધી નિદ્રાને ઉદય હતું. આ નિદ્રા પુત્રવધૂને આવતી હતી. એક વખત આ નિદ્રામાં રાત્રે ભરઊંઘમાંથી પુત્રવધુ ઊચ્યાં અને કબાટ ખેલીને બધા દાગીના લઈને ઘરની બહાર નીકળ્યાં. દૂર એક ટેકરા ઉપર જઈ એક મોટી શિલા એકલાએ ખસેડીને નીચે છેડે ખાડે ખેદી ઘરેણાંના ડાબલાં નીચે સંતાડી ફરીથી એ મેટી શિલા પાછી ઉપર ઢાંકી દીધી અને ઘરે આવીને પાછા પથારીમાં સૂઈ ગયાં. સવાર થઈ બધા ઊડ્યા. સાંજે ઘરેણાં પહેરીને બહાર પ્રસંગમાં જવાનું હતું એટલે કબાટ ખેલ્ય ઘરેણું ન દેખાતાં પુત્રવધૂ ચીસ પાડીને રડવા માંડ્યાં...અરે! મારા દાગીના કણ લઈ ગયું? અરે રે... કેઈચાર ચેરી ગયા લાગે છે. પતિને પૂછયું: “શું તમે સંતાડ્યા છે? શું આવી મશ્કરી કરે છે?” પતિએ ના પાડી. ખૂબ રે-કકળ કરી. અને એમને એમ ટાઈમ પસાર થઈ ગયે. આ નિદ્રા છ મહિને ફરી આવે. પુત્રવધૂને છ મહિને આ નિદ્રા ફરીથી આવતાં પહેલાંની જ રીતે ઊંઘમાંથી ઊઠીને રાત્રે ગયાં. શિલા ખસેડી..અને ઘરેણાંના ડાબલા લઈ આવ્યા. કબાટમાં મુકીને સૂઈ ગયા... સવારે કબાટ ખેલ્યું ઘરેણાંને ડાબલા જોઈને પતિ ઉપર ખિજાયાં. “અરે ! શું આવી મશ્કરી કરે છે. છ-છ મહિના સુધી આવી મશ્કરી? પણ આ ઊંઘમાં કાર્ય કર્યાની પણ ખબર નથી પડતી.... એક વખતે કઈ જ્ઞાની મુનિ મહાત્મા પધાર્યા, તેમને પુત્રવધૂ વિષે શેઠે પૂછયું. ત્યાં તે મુનિમહાત્માએ કહ્યું-શેઠ!
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy