SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ 150 ઓળખાય છે. એને “ત્યાદ્ધિ” અથવા “ત્યાનગૃદ્ધિ” પણ કહેવાય છે. " અ ક્ર -ગવરા–એટલે આ ઊંઘમાં અર્ધચકી એટલે વાસુદેવના અર્ધા બળ જેટલું બળ હેાય છે. કુંભકર્ણની નિદ્રા વિષે સાંભળીએ છીએ. કેટલી ઘેર નિદ્રા. કેટલા લાંબા કાળની નિદ્રા....ઘણું ઊઘનાર ઊંઘણશી માટે પણ કુંભકર્ણ જેવી નિદ્રા કહેવાની પ્રથા પડી ગઈ છે. आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतत् पशुभिर्नराणाम् / આહાર, નિદ્રા, ભય અને મૈથુનસંજ્ઞા આ 4 તે મનુષ્ય અને પશુઓ સર્વેમાં સામાન્યરૂપે પડેલી જ છે. તેમાં ય આહાર અને નિદ્રાને તે નિકટને સંબંધ છે. કહેવાય છે કે—જેમ આહાર વધે તેમ તેમ ઊંઘ પણ વધે. આહારથી ઊંઘ વધે–અને ઊંઘથી આહાર વધે...બસ, એમ જ ચાલ્યા કરે છે.... પરંતુ જે આહાર ઘટે તે ઊંઘ પણ ઘટે.. એટલે ઊંઘણશી વધુ ખાય છે. અને વધુ ખાનાર વધારે ઊંઘણશી હોય છે. આહાર અને ઊંઘ ઘટાડ્યા ઘટે, અને વધાર્યાં વધે. કૂતરા જેવી (ધાનનિદ્રા) અલ્પ નિદ્રા હેવી જોઈએ. ઊંઘમાં તે કૂતરાના જેવી ઊંઘની જ પ્રશંસા થાય છે ? વધુ ઊંધ પણ સારી નથી. ઘેર ખેંચવી એને કંઈ સારી ઊંઘ નથી કહેવાતી. જેટલી ઊંઘ વધારે એટલે દર્શનાવરણય કર્મને ઉલ્ય વધારે...આ કર્મના કારણે ઊંઘ વધારે આવે છે. " ઊંઘમાં પણ કંઈ જ જાણે કે જોઈ શકાતું નથી. આ નિદ્રા સર્વઘાતિ કર્મની પ્રકૃતિ છે-ઘણાની આંખે ઊંઘમાં પણ અધી ખુલ્લી રહે છે. તે શું. એમને બધું જ દેખાય છે? ના. આ કર્મના આવરણના કારણે નથી દેખાતું પરમાત્મા મહાવીર પ્રભુની નિદ્રા ત્રીશ વરસની યુવાનવયે મહાભિનિષ્ક્રમણના પંથે નીકળી
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy