SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 144 (3) ઘ્રાણેન્દ્રિય અચક્ષુદર્શન. ઘાણ નાક, નાક વડે સુગંધદુર્ગધને સામાન્યપણે બંધ થાય છે. અને તેના આવરણય કર્મ ધ્રાણેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય કર્મ વડે સુગંધ, દુર્ગધની તેટલી પણ ખબર ન પડે. (4) શ્રેગેન્દ્રિય અચક્ષુદર્શન. શ્રેત્ર કાન. શ્રવણ કરવું, શબ્દાદિક સાંભળવા તે આ દર્શન વડે થાય છે. અને તેના આવરણીય કર્મ વડે તેટલે પણ ધ્વનિ શ્રેત્ર વડે સ્પષ્ટ ન સંભળાય. તે શ્રેગેન્દ્રિય અચક્ષુદર્શનાવરણીય કમ. અવધિજ્ઞાન-અવધિદર્શન ઈન્દ્રિય અને મનની મદદ વિના જ આત્માને જે રૂપી દ્રવ્યોને સામાન્ય બોધ જે થાય છે તે અવધિદર્શન. અને તેટલું પણ ન થવા દેનાર તે અવધિદર્શનાવરણીય કર્મ પ્રભુ મહાવીરના ઉપાસક આનંદ શ્રાવકને અવધિજ્ઞાન-દર્શન થયું. ગૌતમ ગણધર પ્રભુ પધાર્યા. આનંદે ગૌતમસ્વામીના ચરણસ્પર્શ કર્યા. હે પ્રભુ! મને આવા પ્રકારનું અવધિજ્ઞાન થયું છે... આટલે સુધી સ્પષ્ટ દેખાય છે... આ પ્રમાણે નિવેદન કર્યું. ગૌતમસ્વામી—આનંદ! શ્રાવકને આટલું અવધિજ્ઞાન ન થાય. મૃષાવચનનું “મિચ્છા મિ દુક્કડ' આપી દે. આનંદ–હે પ્રભુ ! પરમાત્માના શાસનમાં શું સત્ય વચન માટે પણ “મિચ્છા મિ દુક્કડ” આપવું પડે છે? આનંદ–હે પ્રભુ! તે પછી “મિચ્છા મિ દુક્કડ મારે દેવાનું કે આપને? ગૌતમસ્વામી–આનંદ! હું જઈને પ્રભુ મહાવીરને પૂછી આવું છું. (ભગવાન મહાવીર પાસે જઈ સમવસરણમાં પ્રભુને
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy