SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] દર્શનમાં વ્યક્તિનાં મૂલ્યાંકનને આધાર તેની જાતિ-કુળ કે વેશ પર નથી, પરન્તુ તેના જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિકાસ પર અવલંબે છે. શ્રીમદ્ આનંદઘનજીએ તે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે : ગચ્છના ભેદ બહુ નચહ્ નીહાળતાં, ત-ત્વની વાત કરતા ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થા, સાહ નડિયા કળિકાળ રાજે. ગચ્છના ભેદે અને તિથિ ચર્ચા જેવા નિરર્થક અને વિવાદાસ્પદ વિષયાની પાછળ આપણા શ્રમણ સંધ પેાતાની શક્તિ અને જ્ઞાનનો ઉપયાગ કરે, તે કરતાં ગૃહસ્થાશ્રમમાં વાસ કરતાં આપણા શ્રાવકા અને શ્રાવિકાએ વિશુધ્ધ, પવિત્ર, નિર્મળ અને નિષ્પાપ જીવન જીવે તે રીતે તેમને કેળવવા પર લક્ષ આપે તેા તેથી ચતુર્વિધ સંધનુ કલ્યાણ થશે. ગૃહસ્થાશ્રમ એ કાંઇ પાપમય જીવન નથી, પરન્તુ વનના એ વિભાગ, તેા સાધુ અવસ્થાની પૂર્વભૂમિકારૂપે છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તે ગૃહસ્થાશ્રમ પછી ઉત્તરાત્તર વાનપ્રસ્થાશ્રમ અને યાગાશ્રમની વ્યવસ્થાને સ્થાન આપેલું જ છે. બાકી ખરી વસ્તુ તા એ છે કે માણસ પેાતે જ પેાતાના દુશ્મન છે, અને પોતે જ પેાતાના મિત્ર છે. આત્મસુધારણા એ જ સાચી સુધારણા છે, અને સમાજમાં, દેશમાં અને જગતમાં આપણે પરિવર્તન લાવવું હેાય તે તેની શરૂઆત આપણી પેાતાની જાતથી જ થવી જોઇએ. નિષ્ણાત ડૉક્ટર જેમ દરદીના રોગનું સુંદર નિદાન કરે છે, તેમ અનુભવ–વાણીના વિધવિધ લેખામાંથી જૈન સમાજમાં અત્યારે પરિ વતી પરિસ્થિતિનું આપણને સચાટ ભાન થાય છે. લેખકે માત્ર નિદાન કરીને સ ંતેાષ નથી માન્યા, તેમણે નિદાનની સાથેા સાથ આ દુઃખદ પરિસ્થિતિને દૂર કરવા માટે તેને સચોટ ઉપાય પણ બતાવ્યા છે.
SR No.023530
Book TitleAnubhav Vani
Original Sutra AuthorN/A
AuthorBipinkumar Pranjivandas Gandhi
PublisherMansukhlal Hemchand Sanghvi
Publication Year1961
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy