SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન હિતોપદેશ ભાગ ૩ જો. રહિત) જ્ઞાન-યજ્ઞમાં રતિ કરવી યુક્ત છે. વૈભવની ઈચ્છાથી મને લીન એવા પાપયુક્ત કર્મયજ્ઞ કરવાનું શું પ્રજન છે? જેમને પાપને ક્ષય કરી નિષ્પાપ થવા ઈચ્છા હોય તેમને તે પાપયુક્ત કર્મયને અનાદર કરી કેવલજ્ઞાન-યજ્ઞને જ આદર કર ઘટે છે. કેમકે લેહી ખરડયું વસ્ત્ર લેહીથી સાફ થઈ શકે નહિ, પણ શુદ્ધ જલ વિગેરેથી જ સાફ થઈ શકે છે. તેમ પાપથી ખરડાએલું મન પાપયુક્ત કર્મ–યજ્ઞથી શુદ્ધ થઈ શકે નહિં. પણ પાપરહિત એવા જ્ઞાનયજ્ઞથી તે તે અવશ્ય શુદ્ધ થઈ શકે. માટેજ નિષ્કામ એવા જ્ઞાનયજ્ઞમાં રક્ત થવું, જ્ઞાની-વિવેકીને ઉચિત છે. પણ પાપયુકત કર્મયજ્ઞ કરવાં તે ઉચિત નથી જ. ૩. કર્મયજ્ઞ પણ કરવાનું વેદમાં કથન હોવાથી મનની શુદ્ધિથી તે પણ જ્ઞાનયજ્ઞનું ફલ આપે છે એવું ઈચ્છનારા બ્રહ્મજ્ઞાનીએ શ્વેન યાગને કેમ તજે છે? જે બીજાં કર્મયજ્ઞથી મનની શુદ્ધિ સંભવે છે તે આથી કેમ નહિં? એમ સમજી વિવેકી જનોએ પાપ-યુક્ત સર્વ કર્મ–યને પરિહાર કર ઘટે છે. ૪. શ્રી વીતરાગની પૂજા. સદગુરુને દાન, દીન દુખીને ઉ. દ્વાર વિગેરે ગૃહસ્થ-અધિકારીને ગ્ય શ્રેષ્ઠ આચરણ બ્રહ્મગનું કારણ હોવાથી જ્ઞાનગ કહી શકાય છે, પરંતુ જ્ઞાની-મુનિને તે ફક્ત જ્ઞાન-ગજ સેવવા ગ્ય છે. ગૃહસ્થ એગ્ય આચાર સાધુને સેવવાને નથી. કેમકે બનેને અધિકાર ભિન્ન છે. ૫. જુદા હેતુથી કરેલી ક્રિયા કિલષ્ટ-કર્મોને ક્ષય કરી શકે નહિ. એ પાપ-કર્મને ક્ષય કરવાની પવિત્ર બુદ્ધિથી જ ઉ. ચિત ક્રિયા વિવેકથી કરવામાં આવે તે જ તેથી પાપ-કર્મને
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy