SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી કલ્પસૂત્ર ના જ હોય, એ સત્ય અને કેમ ન સૂઝયું? મારે જ અપરાધ કે મેં તે વખતે મૃતનો ઉપયોગ ન દીધે. એ નિર્મોહીને તે વળી મારી પર શાને મેહ હોય? ખરેખર હું પોતે જ મેહમાં પકર્યો છું. મારા આ એકપકખા સ્નેહને ધિકાર છે! મારે એવા નેહને આ ક્ષણેજ ત્યાગ કરે જોઈએ. વસ્તુત: મારૂં કેણ છે હું એક છું, મારૂં કઈ જ નથી, તેમ હું પણ કેઈને નથી.” આવી રીતે સમભાવના વિષે આરૂઢ થતાં શ્રી મૈતમ સ્વામીને પણ તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રાત:કાળમાં ઇંદ્રાદિએ આવી મહોત્સવ કર્યો. મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા સાધકને, સ્નેહ એ વજીની સાંકળ સમાન છે. જયાં સુધી શ્રી વીર પ્રભુ જીવતા રહ્યા, ત્યાં સુધી તેમનો પર રનેહ ધરાવનાર શ્રી ગૌતમ સ્વામી કેવલીન થઈ શક્યા. પરંતુ એકંદરે તમસ્વામીને બધું સવળું પડી ગયું એ એક આશ્ચર્યની વાત છે. તેમને પ્રચંડ ગર્વ–પાંડિત્યનું અભિમાન તેમને પ્રભુ પાસે ખેંચી ગયું અને ત્યાં બે પામ્યા. એટલે એક રીતે અહંકાર જ તેમને પ્રતિબોધમાં સહાયક નીવડ, તેમને રાગ ગુરૂભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદ્ભવેલે ખેદ, કેવળજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયો. શ્રી ગૌતમસ્વામી બાર વરસ સુધી કેવલિપયોય પાળી, સુધર્મા સ્વામીને લાંબા આયુષ્યવાળા જાણી તેમને ગણ પી લે સીધાવ્યા. • દીવાળી અને ભાઈબીજ પર્વ કેમ પ્રવર્યા? જે રાત્રિને વિષે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મ પામ્યા તે રાત્રિએ કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ, અને કેશલા દેશના લેછકિ જાતિના નવ રાજાઓ, જેઓ ભગવંતના મામા ચેટક રાજાના સામંત હતા અને જેઓ કાર્યવશાત પાવાપુરીમાં
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy