SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શ્રી ક૯પસત્રઆવતા ભમરા પ્રભુને ડંખ દેવા લાગ્યા. કેટલાક અજ્ઞાન જુવાનીયા પ્રભુ પાસે કેએક ભારે સુગંધમય પદાર્થ છે એમ માની તેયાચવા લાગ્યા. એ બધું છતાં પ્રભુ તે શાંત-સ્થિર અને મિન જ રહ્યા. તેમને મિન ઈ કોપેલા જુવાનીયા તેમને ઉપસર્ગો કરવા લાગ્યા. પ્રભુનું શરીર મૂળ તો અદ્દભૂત સિદયવાળું હતું જ, તેમાં સુગંધ મળવાથી કેટલીય સ્ત્રીઓ ભેગપ્રાર્થનાદિ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી. પ્રભુએ મેરૂની જેમ અડગ-અચળ રહી, સમભાવે એ વેદનાઓ સહી લીધી. એ રીતે વિહાર કરતા પ્રભુ બે ઘડી દિવસ બાકી રહે ત્યારે કુમાર નામના ગામમાં પહોંચ્યા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ગેવાળની દબુદ્ધિ અને ઇન્દ્રની યાચના પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં હતા તે વારે કોઈ એક વાળીઓ, આખો દિવસ બળદીયા પાસે હળ ખેંચાવી, સંધ્યાકાળે પ્રભુ પાસે મૂકી, ગાયે દહેવા માટે પિતાને ઘેર ગયે. પેલા બળદીયા ચરતાં ચરતાં હર જંગલમાં ચાલ્યા ગયા. ગોવાળ ગાયે દેહીપરવારીને પાછા આવ્યું ત્યારે બળદીયા ન દેખાયા. પ્રભુને પૂછવા લાગ્યું કે,–“હે આર્ય! મારા બળદ ક્યાં છે?” પરંતુ પ્રતિ માધારી પ્રભુ શી રીતે જવાબ આપે ? શેવાળે વિચાર્યું કે બળદના સંબંધમાં એને ખબર નહિં હોય તેથી જ તે કંઈ બોલતું નથી. એટલે પિતે બળદની શોધ કરવા જંગલમાં નીકળી પડ્યો. આખી રાત ભટકયે પણ પત્તો ન લાગ્યો. સવારે પ્રભુની પાસે આવી, તેણે જોયું તે બળદીયા ત્યાંના ત્યાંજ સ્વસ્થ ચિત્તે વાગેળતા બેઠા હતા. જો કે બળદ પોતાની મેળેજ ફરતા ફરતા ત્યાં આવી ચડેલા, પણ પેલા ભટકી ભટકીને થાકી ગયેલા ગોવાળને થયું કે-“આને ખબર હતી, છતાં એણે મને વાત કરી અને મને નકામે આખી રાત ભટકાવ્ય!” તેના અંગે અંગમાં ક્રોધ
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy