SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ વ્યાખ્યાન. મળશે તે હું આપની પાસેથી જાણવા માગું છું.” સિદ્ધાર્થે હાથી, વૃષભ વિગેરે ચિદ મહાસ્વમે વર્ણવી બતાવ્યાં. સ્વમપાઠકની મસલત વપ્રપાઠકેને એ વાત સાંભળી ઘણેજ સંતેષ અને આનંદ થયે. તેમણે તે સ્વમના અર્થ વિચાર્યા અને પિતપોતાની અંદર મસલત ચલાવી. પોતાની બુદ્ધિવડે બરાબર અર્થ અવધારી, પર સ્પરના અભિપ્રાય મેળવી, સંશયના ખુલાસા કરી, એકમત થઈ, સિદ્ધાર્થ ક્ષત્રિય આગળ પિતાનું સ્વપ્નશાસ્ત્ર આ પ્રમાણે કહેવા લાગ્યા: સ્વપ્નનાં નવ પ્રકાર મનુષ્યને નવ પ્રકારે સ્વપ્ન આવે છે -(૧) અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૨) સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૩) જોયેલી વસ્તુ સ્વપ્નમાં દેખે, (૪) વાત, પિત્ત, કફના વિકારથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૫) સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૬) ચિંતાની પરંપરાથી ઉત્પન્ન થયેલ સ્વપ્ન દેખે, (૭) દેવતા વિગેરેના સાન્નિધ્યથી સ્વન દેખે, (૮) ધર્મકાર્યના પ્રભાવથી સ્વપ્ન દેખે અને (૯) અતિશય પાપના ઉદયથી ઉત્પન્ન થયેલ સ્વમ દેખે. આ નવ સ્વપ્નાઓમાં પહેલા છ પ્રકારે વર્ણવેલાં સ્વપ્નાં શુભ અને અશુભ હોય તે પણ તે નિષ્ફળ સમજવાં, કારણ કે તેનું ફળ કંઈ મળતું નથી. બાકીના ત્રણ પ્રકારનાં સ્વપ્નાં સાચાં સમજવાં; કારણ કે તેનું શુભાશુભ ફળ અવશ્ય મળે છે. સ્વમનાં ફળ વિષે - રાત્રીના પહેલે પહેરે દેખેલ સ્વપ્ન બાર મહિને, બીજે પહેરે દેખેલ છ મહિને, ત્રીજે પહેરે દેખેલ ત્રણ મહિને અને
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy