SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય વ્યાખ્યાન. ૧૭ ત્યારપછી તેમણે સ્નાન કર્યું, ઇષ્ટદેવની પૂજા કરી, દુષ્ટ સ્વપ્નાદિની શાંતિ અર્થે તિલક વિગેરે કૌતુકા તથા દહીં, ધ્રો, અક્ષત વિગેરે મંગળરૂપ પ્રાયશ્ચિત કર્યાં. રાજસભાને ચેાગ્ય, ઉત્સવાદિ મંગળને સૂચવનારાં ઉજ્જવલ અને ઉત્તમ વસ્ત્ર પહેર્યાં. સ ંખ્યામાં ઘેાડાં પણ કીમતમાં ભારે આભૂષણૢા અંગ વિષે નાખ્યાં, માંગલ નિમિત્તે મસ્તકમાં સફેદ સરસવ અને ધ્રો ધારણ કરી. પછી પાતપેાતાના ઘરમાંથી નીકળી, ક્ષત્રિયકું ડગ્રામ નગરની મધ્યમાં થઇને સિદ્ધાર્થ રાજાના ઉત્તમાત્તમ મહેલના મૂળ દરવાજા પાસે પહેાંચ્યા. અહીં તેઓએ પરસ્પરમાં વાતચીત કરી, એકસપીથી એકમત થઈ, એક જણને પેાતાના અગ્રેસર નીમી આગળ ચાલ્યા. મિથ્યાભિમાની સુભટાની કથા “ જે સમુદાયમાં સઘળા માણસે ઉપરી-આગેવાન થવા મથતા હાય, જે સમુદાયમાં બધા પેાતાને મહાપંડિત માનતા હાય અને જે સમુદાયમાં સઘળા મ્હાટાઇ મેળવવાની ઇચ્છા રાખતા હાય તે આખા સમુદાય દુ:ખી થાય છે અને અંતે છિન્નભિન્ન થઇ જાય છે. ,, એક વખતે માસપાસથી આવી ચડેલા પાંચસે સુભટ એક સ્થાને એકત્ર થયા. તેઓ સવે કોઇ એક રાજાની નેકરીમાં રહી પેાતાની ઉન્નતિ કરવા ઇચ્છતા હતા. તેઓ બહાદુર અને લડવૈયા હતા પણ તેમનામાં સંપ ન હતા. દરેકને પેાતાને માટે એવું અભિમાન કે પેાતાના સિવાય તમામ તુચ્છ જ લાગે. આ સુભટામાં કેવા પ્રકારની ચેાગ્યતા છે તેની કસોટી કરવા રાજાએ પેાતાના મંત્રીની સલાહથી તેમની બધાની વચ્ચે માત્ર એકજ પલંગ સુવા માટે મેકક્લ્યા. પાંચસા સુભટમાંથી પલંગ ઉપર કાણે સુવું એ એક મહાન પ્રશ્ન થઇ પડયા. કમનસીબે તેમનામાં
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy