SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ વ્યાખ્યાન. બહાર આવવાથી ગોશાળાને ખુબ ક્રોધ વ્યાપે. એક દિવસે ભગવંતનો આણંદ નામે શિષ્ય ગામમાં ગોચરી અર્થે ગયે હતું, તેને ગોશાળે કહ્યું કે --“હે આણંદ! તું એક દષ્ટાંત સાંભળ. એક વાર કેટલાક વેપારીઓ પાસે મેળવવા માટે ગાડાઓમાં વિવિધ પ્રકારનાં કરિયાણાં ભરી પરદેશ જતા હતા. રસ્તામાં એક હોટું મેદાન આવ્યું. વેપારીઓ તરસ્યા થયા પણ આસપાસ તપાસ કરવા છતાં કયાંઈ પાણીને પત્તો ન મળ્યો. એટલામાં ચાર રાફડા અને તેની આસપાસ લીલું ઘાસ ઉગેલું તેમની નજરે ચડયું. તેમણે વિચાર કર્યો કે જરૂર, આ ઘાસ ઉપરથી જણાય છે કે આટલામાં જ કયાંઈક પાણી હોવું જોઈએ. પછી તેમણે તે ટેકરો છે. તેમની આશા સફળ થઈ, પુષ્કળ પાણું નીકળ્યું. તેમની તરસ છીપી; તેમજ પિતાની પાસે જે વાસણે હતાં તે પણ પાણીથી ભરી લીધાં. આપણને જે જોઈતું હતું તે મળી ગયું છે. હવે બીજે ટેકરો કોઈ ન દશે.” એમ એક વૃદ્ધ પુરૂષે કહ્યું. છતાં પણ બીજે ટેકો દી કાઢ્યો. તેમાંથી પુષ્કળ સોનું નીકળ્યું. આ વખતે પણ પેલા વૃદ્ધ પુરૂષે સૌને વાર્યો અને કહ્યું કે હવે વધુ લોભ કર એ ઠીક નથી. છતાંય ત્રીજો ટેકરો ખોલ્યો તે તેમાંથી ઘણાં રને નીકળી પડ્યાં. આખરે પેલા વૃદ્ધ પુરૂષે સલાહ આપી કે-- “ આપણને જોઈએ તે કરતાં પણ અધિક લાભ થયે છે, પાણી મળ્યું તેની સાથે સુવર્ણ અને રત્ન પણ મળ્યાં છે. માટે એટલેથી જ સંતોષ માને તે બહુ સારું. હવે આપણે આપણુ માર્ગે પડીએ એજ ઠીક છે.” આ પ્રમાણે વારવા છતાં વેપારાઓએ લાભને વશ થઈ ચેરી ટેકરે પણ ખેડ્યા. તેમાંથી એક દષ્ટિવિષ સર્પ હાર નાકળ્યો. તેણે અત્યંત કોઇપૂર્વક
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy